સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો મોટો દાવો કરી કહ્યુ - આ કારણે મુંબઈ પોલિસે સુશાંત કેસમાં ન નોંધી FIR
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર જણાવ્યુ છે કે છેવટે કેમ મુંબઈ પોલિસે આ કેસમાં અત્યાર સુધી એફઆઈઆર નથી નોંધી.
બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુંબઈ પોલિસ છેલ્લા દોઢ મહિનાથી તપાસ કરી રહી છે પરંતુ પોલિસના હાથ હજુ ખાલી છે. ત્યારબાદ સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં એફઆઈઆર નોંધાવી છે ત્યારબાદ બિહાર પોલિસની ટીમ મુંબઈમાં તપાસ કરી રહી છે. બિહાર પોલિસની તપાસમાં ઘણા ખુલાસા થયા છે. આ દરમિયાન ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર જણાવ્યુ છે કે છેવટે કેમ મુંબઈ પોલિસે આ કેસમાં અત્યાર સુધી એફઆઈઆર નથી નોંધી.

કેમ ન નોંધી FIR?
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે મુંબઈ પોલિસે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં હજુ સુધી એફઆઈઆર એટલા માટે નોંધી નથી કારણકે ડૉક્ટર હજુ પણ ફૉરેન્સિક વિભાગમાંથી વિસરા રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે એ પણ કહ્યુ કે રિપોર્ટને પુષ્ટિ માટે હજુ સુધી ડૉક્ટરોને સોંપવામાં આવ્યો નથી. સુબ્રમણ્યમ સ્વામએ કહ્યુ કે સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ 'અનંતિમ' કહેવામાં આવ્યો છે કારણકે ફૉરેન્સિક વિભાગથી હજુ સુધી સ્પષ્ટીકરણ આવ્યુ નથી.
|
પોસ્ટમોર્ટમ રિપોર્ટ 'અનંતિમ' છે
તેમણે પોતાના ટ્વિટમાં કહ્યુ, 'સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલિસે એફઆઈઆર કેમ નથી નોંધી? કેમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર અનંતિમ લખવામાં આવ્યુ છે? બંને પાછળનુ કારણ એક જ છે - હોસ્પિટલના ડૉક્ટર હજુ પણ સુશાંતના વિસરા રિપોર્ટના ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટમાં આવવાની રાહ જોઈ રહ્યા છે જેથી એ જાણી શકાય કે ક્યાંક તેમને ઝેર તો આપવામાં નહોતુ આવ્યુ. સુશાંતના નખના સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા.' તમને જણાવી દઈએ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ સામે આવ્યુ કે સુશાંતનુ મોત દમ ઘૂટવાથી થયુ છે. માટે અનંતિમ રિપોર્ટ વિશે કરવામાં આવેલો આ દાવો ઘણો મહત્વપૂર્ણ છે.

26 કારણોનુ લિસ્ટ શેર કર્યુ
આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર 26 કારણોનુ એક લિસ્ટ શેર કર્યુ હતુ. સાથે જ તેમણે કહ્યુ હતુ કે તેમને એવુ લાગે છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ જે લિસ્ટ શેર કર્યુ હતુ તેમાં પોઈન્ટના હિસાબથી આત્મહત્યા અને હત્યાની થિયરી જણાવવામાં આવી છે. આ લિસ્ટ અનુસાર જો સુશાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ નહોતા કરતા અને ડિપ્રેશનમાં હતા, તો પણ એવુ બની શકે કે તેમની હત્યા કરવામાં આવી હોય. આની પાછળનુ કારણ સ્થાન, તેમના ગળા પર મળેલુ નિશાન, કપડાનો ઉપયોગ, શરીર પર મળેલા નિશાન, રૂમની ડુપ્લીકેટ ચાવી ગાયબ થવી, તેમની મેનેજર દિશાની આત્મહત્યા, સિમ કાર્ડ બદલવુ, આર્થિક મુશ્કેલી ન હોવી, નોકરોનુ વારંવાર નિવેદન બદલવુ વગેરે જણાવવામાં આવ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
