મુંબઈ પોલિસે દિશા સાલિયાનના છેલ્લા ફોન કૉલ પરથી ઉઠાવ્યો પડદો
અભિનેતા સુશાંત સિંહની પૂર્વ મેનેજર દિશા સાલિયાન સુસાઈડ કેસમાં મુંબઈ પોલિસે એક સ્પષ્ટીકરણ આપ્યુ છે.
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની ગુત્થી ઉકેલવા માટે સીબીઆઈ ઝડપથી પોતાની તપાસને આગળ વધારી રહી છે. આ દરમિયાન અભિનેતા સુશાંત સિંહની પૂર્વ મેનેજર દિશા સાલિયાન સુસાઈડ કેસમાં મુંબઈ પોલિસે એક સ્પષ્ટીકરણ આપ્યુ છે. ભાજપ ધારાસભ્ય નિતેશ રાણે દ્વારા કરવામાં આવેલ દાવાના જવાબમાં મુંબઈ પોલિસે કહ્યુ કે મરતા પહેલા દિશા સાલિયાનના ફોનથી છેલ્લો ફોન કૉલ 100 નંબર પર નહિ પરંતુ તેની દોસ્ત અંકિતાને કરવામાં આવ્યો હતો.

ભાજપ ધારાસભ્ય કર્યો હતો દાવો
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નિતેશ રાણેએ મુંબઈ પોલિસની તપાસ પર સવાલ ઉઠાવીને એ દાવો કર્યો હતો કે 8 જૂનની રાતે શંકાસ્પદ મોત પહેલા દિશા સાલિયાને 100 નંબર પર ફોન કરીને મદદ માંગી હતી. ભાજપ નેતાએ કહ્યુ હતુ કે દિશા સાલિયાનના ફિયાન્સ રોહનને એ રાતની ઘટના વિશે બધી ખબર છે પરંતુ તે ડરના કારણે ભાગતો ફરે છે.

મુંબઈ પોલિસે દાવાને ફગાવ્યો
નિતેશ રાણેએ કહ્યુ કે જો રોહને દિશાના મોતવાળી રાતની ઘટના વિશે દુનિયાને ન જણાવ્યુ તો તે ખુદ સીબીઆઈને બધા રાઝ કહી દેશે. આ દાવા બાદ હવે મુંબઈ પોલિસે સ્પષ્ટીકરણ જારી કરીને ભાજપ ધારાસભ્યના દાવાને ફગાવી દીધો છે. મુંબઈ પોલિસના અધિકારીએ કહ્યુ, દાવો કરવામાં આવી રહ્યો છે કે દિશાએ મરતા પહેલા 100 નંબર ડાયલ કરવાની કોશિશ કરી હતી જે બિલકુલ ખોટુ છે. મુંબઈ પોલિસ તરફથી કહેવામાં આવ્યુ કે દિશા સાલિયાનના ફોનથી છેલ્લા કૉલ તેની દોસ્ત અંકિતાને કરવામાં આવ્યો હતો.

દિશાના શરીર પર મળ્યા હતા અપ્રાકૃતિક ઈજાના નિશાન
ઉલ્લેખનીય છે કે દિશા સાલિયાનનુ મોત 8 જૂને તેની બિલ્ડિંગના 14માં માળેથી પડી જવાના કારણે થયુ હતુ અને એ જ દિવસે રિયા ચક્રવર્તી સુશાંતનુ ઘર છોડીને ગઈ હતી. તમને જણાવી દઈએ કે જ્યારે દિશાનુ મોત થયુ ત્યારે દિશા પોતાના ફિયાન્સ રોહન રૉયા ઘરે હતી. દિશાના મોતને ઘણા નેતાઓ સુશાંતના કેસ સાથે જોડીને જોઈ રહ્યા હતા. જો કે મુંબઈ પોલિસે બંને મોત વચ્ચે કોઈ પણ સંભવિત લિંક હોવાની વાતનો ઈનકાર કરી દીધો હતો. 9 જૂને સવારે 2 વાગ્યા આસપાસ દિશાનુ મૃત્યુ થઈ ગયુ. પોસ્ટમોર્ટ બે દિવસ બાદ 11 જૂને બોરીવલી પોસ્ટમોર્ટમ કેન્દ્રમાં કરવામાં આવ્યુ. દિશા સાલિયાનની ઑટોપ્સી રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, 'માથામાં ઈજા, ઘણી ઈજાઓ(અપ્રાકૃતિક) હતી.'
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
