સુશાંત સિંહ કેસઃ બિહાર પોલિસની ટીમ સાથે મુંબઈ પોલિસે કરી 'ગેરવર્તણૂક'
એવા સમાચાર આવી રહ્યા હતા કે કથિત રીતે મુંબઈ પોલિસ બિહાર પોલિસની ટીમ સાથે ગેરવર્તણૂક કરી છે.
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની તપાસ માટે બિહાર પોલિસની એક ટીમ મુંબઈ પહોંચી છે. બિહાર પોલિસની આ ટીમ ઘણા દિવસોથી કેસ સાથે સંબંધિત લોકોની પૂછપરછ કરી રહી છે. ટીમના પહોંચ્યા બાદથી જ એવા સમાચાર આવી રહ્યા છે કે કથિત રીતે મુંબઈ પોલિસ બિહાર પોલિસની ટીમ સાથે ગેરવર્તણૂક કરી છે. મુંબઈ પોલિસ દ્વારા તેમને તપાસમાં સહયોગ નથી કરવામાં આવી રહ્યો.

ઑટોમાં તપાસ કરવા જઈ રહ્યા છે બિહાર પોલિસના અધિકારી
બિહાર પોલિસ સાથે મુંબઈ પોલિસની ગેરવર્તણૂક મામલે પટના એસએસપી ઉપેન્દ્ર શર્માએ જણાવ્યુ કે મુંબઈ પોલિસે બિહાર પોલિસને બળજબરીથી નથી બેસાડ્યા. ત્યાં બિહાર પોલિસે તપાસ દરમિયાન મુંબઈ પોલિસ પાસે લૉડિસ્ટીક્સની માંગ કરી હતી. મુંબઈમાં બિહાર પોલિસની ટીમને બિલકુલ પણ સપોર્ટ કરવામાં નથી આવી રહ્યો. સ્થિતિ ત્યાં સુધી ખરાબ છે કે મુંબઈ પોલિસે બિહારની ટીમને એક ગાડી સુદ્ધા ઉપલ્ધ કરાવી નથી. તે રિક્ષામાં તપાસ કરવા જઈ રહ્યા છે.

મુંબઈ પોલિસે બળજબરીથી બિહાર પોલિસને વેનમાં બેસાડ્યા
હવે સોશિયલ મીડિયામાં અમુક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પત્રકાર બિહાર પોલિસની ટીમના અધિકારીને તપાસ વિશે સવાલ પૂછવા ઈચ્છે છે અને મુંબઈ પોલિસ બિહાર પોલિસના અધિકારીને ધક્કા મારીને લઈ જઈ રહ્યા છે. પટના એસએસપીએ એ પણ કહ્યુ કે મુંબઈ પોલિસે બિહાર પોલિસને ભરોસો આપ્યો છે કે તે દરેક સંભવ મદદ કરશે પરંતુ એ પહેલા સમાચાર આવ્યા હતા કે મુંબઈ પોલિસ બળજબરીથી બિહાર પોલિસને વેનમાં બેસાડી.

હોસ્પિટલમાંથી ન મળ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવાનો ઈનકાર પોલિસની ટીમ આરએન કૂપર મ્યુનિસિપલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર પાસે પણ પહોંચી હતી પરંતુ ડૉક્ટરે તેમને રિપોર્ટ ન આપ્યો અને એ વિશે જણાવવાનો પણ ઈનકાર કરી દીધો. ડૉક્ટરે કહ્યુ કે તે લોકો મુંબઈ પોલિસને રિપોર્ટ આપી ચૂક્યા છે અને એટલા માટે તેમની પાસેથી જ રિપોર્ટ લેવામાં આવે.












Click it and Unblock the Notifications
