Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુશાંતને ઝેર તો નહોતુ આપવામાં આવ્યુ? AIIM ફૉરેન્સિક બોર્ડ શરૂ કર્યો વિસરા રિપોર્ટ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના શરીરમાં ઝેર હતુ કે નહિ તે જાણવા માટે એઈમ્સમાં તેમના વિસરા રિપોર્ટની તપાસ થશે.

નવી દિલ્લીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના શરીરમાં ઝેર હતુ કે નહિ તે જાણવા માટે એઈમ્સમાં તેમના વિસરા રિપોર્ટની તપાસ થશે. એઈમ્સ ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ અને સુશાંત કેસ માટે રચવામાં આવલે મેડિકલ બોર્ડના ચેરમેન ડૉ.સુધીર ગુપ્તાએ સોમવારે જણાવ્યુ કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રિપોર્ટ દસ દિવસમાં આવશે. તેમણે કહ્યુ કે સુશાંત કેસ વિશે મેડિકલ બોર્ડની આગામી મીટિંગ 17 સપ્ટેમ્બરે થશે.

સુશાંતના મોત પર ઉઠ્યા ઘણા સવાલ, માટે વિસરા તપાસ

સુશાંતના મોત પર ઉઠ્યા ઘણા સવાલ, માટે વિસરા તપાસ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈમાં પોતાના ઘરેમાં મૃત મળી આવ્યા હતા. પોલિસની તપાસ અને સીબીઆઈની પણ પ્રારંભિક તપાસમાં જણાવવામાં આવ્યુ છે કે તેમણે આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલિસે કોઈ ષડયંત્રના એંગલથી ઈનકાર કર્યો હતો. બૉલિવુડ અને રાજનીતિ સાથે જોડાયેલા લોકોએ કહ્યુ છે કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે. એવામાં પહેલા આ કેસ સીબીઆઈને આપવામાં આવ્યો અને હવે તેમની વિસરા તપાસ કરવામાં આવી રહી છે.

વિસરા તપાસથી જાણવા મળે છે ઝેર વિશે

વિસરા તપાસથી જાણવા મળે છે ઝેર વિશે

કોઈ વ્યક્તિના મોત પછી મોતના કારણો વિશે જાણવા માટે મૃતકના શરીરના અમુક આંતરિક અંગોને સુરક્ષિત રાખવામાં આવે છે જેને વિસરા કહે છે. વિસરાનુ રાસાયણિક પરીક્ષણ કર્યા બાદ જ મોતનુ કારણ સ્પષ્ટ થઈ શકે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિનુ શબ જોવા પર તેનુ મૃત્યુ શંકાસ્પદ લાગે અથવા તેને ઝેર આપ્યાની શંકા લાગે તો તે વ્યક્તિનો વિસરા સુરક્ષિત રાખી લેવામાં આવે છે. બાદમાં તપાસ બાદ સ્થિતિ વિશે તપાસ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો માનવ શરીરની આંતરિક અંગો જેવા કે ફેફસા, આંતરડાને વિસરા કહેવામાં આવે છે. વિસરા રિપોર્ટ આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ જાય છે કે મોત ઝેરથી થયુ છે કે નહિ. એવામાં સુશાંતના વિસરાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સુશાંતના મોત કેસની ઘણી એજન્સીઓ કરી રહી છે તપાસ

સુશાંતના મોત કેસની ઘણી એજન્સીઓ કરી રહી છે તપાસ

સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ શરૂમાં મુંબઈ પોલિસે કરી. તેમના મોતના લગભગ એક મહિના બાદ પરિવાર તરફથી અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા. જે બાદ આ કેસમાં પહેલા ઈડી પછી સીબીઆઈ અને હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી) પણ તપાસ કરી રહી છે. જો કે એનસબીએ અમુક ડ્રગ્ઝ એંગલ મળ્યાના દાવાને છોડી દઈએ તો હજુ સુધી કોઈ એજન્સીએ આ કેસમાં કોઈ ષડયંત્ર જેવુ કંઈ હોવાની વાત કહી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X