14મા માળેથી કૂદી ગઈ સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા, સોમવારે રાતે નિધન
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનનુ 8 જૂનની રાતે મુંબઈમાં નિધન થઈ ગયુ. તેના સાથી ઉદય સિંહ આ સમાચારની પુષ્ટિ કરી છે.
બૉલિવુડ માટે આ વર્ષ સારુ નથી વીતી રહ્યુ અને કોરોના બાદ લોકો ડિપ્રેશનમાં આવી ચૂક્યા છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી આવી રહેલા સુસાઈડના સમાચારોથી લોકો હજુ પણ શોકમાં છે અને હવે અમે તમને વધુ એક દુઃખદ સમાચાર આપી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનનુ 8 જૂનની રાતે મુંબઈમાં નિધન થઈ ગયુ. તેના સાથી ઉદય સિંહ આ સમાચારની પુષ્ટિ કરી છે.
માનવામાં આવી રહ્યુ છે કે દિશા સાલિયાન પોતાની 14 માળની બિલ્ડિંગ પરથી કૂદી ગઈ અને તેણે આત્મહત્યા કરી લીધી. દિશા જનકલ્યાણ નગર, માલવાનીમાં પોતાના બૉયફ્રેન્ડ/ફિયાન્સ સાથે રહેતી હતી. પોલિસ આ મામલાને સુસાઈડની જેમ લઈ રહી છે પરંતુ હાલમાં સુસાઈડની પુષ્ટિ થઈ નથી. દિશાના માતાપિતાનુ સ્ટેટમેન્ટ રેકોર્ટ કરી લેવામાં આવ્યુ છે અને તેના બૉયફ્રેન્ડનુ નિવેદન જલ્દી લેવામાં આવશે.
દિશા સાલિયાન મુંબઈના ઘણા ટેલેેન્ટ મેનેજમેન્ટ ફર્મ સાથે કામ કરતી હતી. તે સુશાંત સિંહ રાજપૂરનુ કામ સંભાળી રહી હતી અને રિપોર્ટ્સની માનીએ તો આજકાલ રિયા ચક્રવર્તીને રિપોર્ટ કરતી હતી. દિશા સાલિયાન કૉર્નરેસ્ટોન સ્પોર્ટ અને એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ માટે કામ કરતી હતી. આ પહેલા તે કાન, મીડિયા વિન્ટેજ અને ટાઈમ્સ ગ્રુપ સાથે કામ કરી ચૂકી હતી. ઈશ્વર તેના આત્માને શાંતિ આપે.
Covid-19: રડાવી દેશે દિલ્લીના આ પત્રકારની આપવીતી, રાહુલ ગાંધીએ વીડિયો શેર કરી મદદનો ભરોસો આપ્યો