સુશાંત સિંહ સુસાઈડ કેસઃ ટ્રોલ થવા પર સલમાન ખાને તોડ્યુ મૌન, ફેન્સને કરી આ અપીલ
સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં માત્ર કરણ જોહર જ નહિ પરંતુ સલમાન ખાનને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જે બાદ સલમાન ખાને પ્રતિક્રિયા આપી છે.
સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં માત્ર કરણ જોહર જ નહિ પરંતુ સલમાન ખાનને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અફવાઓ એ પણ છે કે સલમાન ખાનના પ્રોડક્શન હાઉસે સુશાંતને બેન કરી દીધો હતો. જેના માટે સલમાન ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી કે બિહારમાં તેના પર બે કોર્ટમાં કેસ પણ કરવામાં આવી ચૂક્યા છે અને બીઈંગ હ્યુમન સ્ટોરમાં તોડફોડ પણ કરવામાં આવી. સલમાન ખાનના ફેન્સ પણ તેના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર ઉતરી આવ્યા હતા. જેમાં અમુક બૉલિવુડ સ્ટાર્સ પણ શામેલ હતા. હવે સલમાન ખાને ખુદ આ બાબતે પ્રતિક્રિયા આપી છે અને પોતાના ફેન્સે અપીલ કરી છે કે સુશાંતના ફેન્સ સાથે ઉભા રહે.
સલમાન ખાને કર્યુ ટ્વિટ
સલમાન ખાને ટ્વિટ કરીને જણાવ્યુ કે, 'હું મારા બધા ફેન્સને વિનંતી કરુ છુ કે તે સુશાંતના ફેન્સ સાથે ઉભા રહે અને અયોગ્ય ભાષાનો ઉપયોગ ન કરે. તમે તેમની ભાવનાઓને સમજવાની કોશિશ કરો. આ સંકટની ઘડીમાં સુશાંતના પરિવારનો સહારો બનો કારણકે કોઈ સ્વજનના જવાનુ દુઃખ બહુ વધુ હોય છે.'
અરબાઝ ખાને કર્યો ભાઈને સપોર્ટ
અરબાઝ ખાને લખ્યુ છે, 'ખાલી દિમાગ શેતાનનુ ઘર હોય છે. એક અંગ્રેજી કહેવત આપણે સ્કૂલમાં ભણી હતી. હું ત્યારે આનો અર્થ બરાબર સમજવા માટે બહુ નાનો હતો પરંતુ અત્યારે આપણી ચારે તરફ જે થઈ રહ્યુ છે તેને જોતા, જૂની કહેવત હવે સંપૂર્ણપણે સમજમાં આવી રહી છે.'
FWICEએ પણ કર્યો સપોર્ટ
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોય્ઝ (FWICE) સલમાન ખાનના સપોર્ટમાં ઉતરી આવ્યા છે. આ સંગઠન તરફથી સલમાન ખાનના નામ એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેમણે સલમાન ખાનને હંમેશા જરૂરિયાતમંદો માટે ઉભા રહેવા માટે આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ કહ્યુ છે કે સલમાનના એક અવાજ પર બધા ઉભા થઈ જશે.
શું છે મામલો
સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસમાં બૉલિવુડના અમુક કલાકારો પર મુસીબત વધી રહી છે. પહેલા એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ મુઝફ્ફરપુર કોર્ટમાં આ બાબતે 8 બૉલિવ઼ુડ સ્ટાર્સ સામે કેસ ફાઈલ કરાવ્યો છે. વળી, હવે બિહારમાં સલમાન ખાન અને કરણ જોહર સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. આના પર સુશાંત સિંહને હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અભિનવ કશ્યપે લગાવ્યો આરોપ
દબંગના નિર્દેશક અભિનવ કશ્યપે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ એક લાંબી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરીને જણાવ્યુ કે દબંગ બાદ કઈ રીતે સલમાન ખાન અને તેમના પરિવારે તેમની કરિયર બરબાદ કરી દીધી. સાથે જ જાનથી મારવાની પણ ધમકી આપવાની વાત કહી છે.
જગન્નાથ
રથયાત્રાઃ
સુપ્રીમ
કોર્ટના
ચુકાદામાં
સુધારાની
માંગ
કરતી
અરજીઓ
આજે
સુનાવણી