સુષ્મિતા સેને અક્રમ સાથે લગ્નની અટકળો ફગાવી
મુંબઈ, 13 એપ્રિલ : બૉલીવુડના હૉટ તથા સેક્સી અભિનેત્રી સુષ્મિતા સેનનું કહેવું છે કે તેમના અને વસીમ અક્રમના લગ્નના સમાચારો માત્ર બકવાસ છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે તેઓ એ બાબત સાબિત કરશે કે મીડિયા ક્યારેક-ક્યારેક કેટલું બિનજવાબદાર હોઈ શકે છે. સુષ્મિતા સેને જણાવ્યું કે વસીમ અક્રમ તેમના સારા મિત્ર છે અને રહેશે.
સુષ્મિતા સેને પોતાના લગ્ન અક્રમ સાથે થવાના વહેતા થયેલા સમાચારો સાંભળ્યા બાદ સૌપ્રથમ ટ્વિટ કર્યું - હાય, વસીમ સાથે મારા લગ્નના સમાચારો મેં વાંચ્યા. આ તદ્દન બકવાસ છે. આ સમાચારો દર્શાવે છે કે મીડિયા ક્યારેક-ક્યારેક કેટલું બિનજવાબદાર બની શકે છે.
તેમણે વસીમ અક્રમ સાથે મિત્રતા અંગે જણાવ્યું - વસીમ અક્રમ મારા માત્ર સારા મિત્ર છે અને કાયમ રહેશે. તેમના જીવનમાં અગાઉથી જ એક શ્રેષ્ઠ લૅડી છે. આ પ્રકારના સમાચારો ખૂબ જ અસન્માનજનક છે. તેમણે એમ પણ જણાવ્યું - મારા તમામ ફૅન્સ, જ્યારે હું પોતાનો મિસ્ટર રાઇટ શોધી લઇશ, તો આપ લોકોને સૌપ્રથમ બતાવીશે, કારણ કે આપ મારા ટ્વિટર ફૅમિલના સભ્ય છે. આપ સૌને મારો ખૂબ ખૂબ પ્રેમ.












Click it and Unblock the Notifications
