આવી ગઈ આલિયા-રણબીરના લગ્નની પહેલી તસ્વીર, જુઓ ફોટો!
ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આજે મુંબઈમાં લગ્ન કર્યા. બંનેએ તેમના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે લગ્ન કર્યા. લગ્ન બાદ આલિયાએ પોતે આ વિશે માહિતી આપી છે અને તસવીરો શેર કરી છે.
મુંબઈ, 14 એપ્રિલ : ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આજે મુંબઈમાં લગ્ન કર્યા. બંનેએ તેમના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે લગ્ન કર્યા. લગ્ન બાદ આલિયાએ પોતે આ વિશે માહિતી આપી છે અને તસવીરો શેર કરી છે. આલિયાએ તસવીરો સાથે ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે.
આલિયાએ ઈન્સ્ટા પર તસવીરો શેર કરી
તસવીરો શેર કરતા આલિયાએ ઈન્સ્ટા પર લખ્યું, "આજે, અમારા પરિવાર અને મિત્રોની હાજરીમાં અમે લગ્ન કર્યા. અમે સાથે મળીને વધુ સુંદર યાદો બનાવવા માટે રાહ જોઈ શકતા નથી... યાદો જે પ્રેમની, હાસ્યની, મૂવીની રાતો અને આનંદની છે. અમારા જીવનમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન બધા પ્રેમ અને પ્રકાશ માટે આભાર.
આવી રીતે થયા લગ્ન
આલિયા અને રણબીરે બુધવારે હલ્દી અને મહેંદી સેરેમની કરી હતી, ત્યાર બાદ આજે એટલે કે 14 એપ્રિલે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રણબીર અને આલિયાએ પરંપરાને ધ્યાનમાં રાખીને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા, કપૂર પરિવારના સભ્યો કૃષ્ણા રાજ બંગલો અને વાસ્તુ હાઉસ વચ્ચે જાન લઈને પહોંચ્યા.
લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર હતા
રણબીર-આલિયાએ તેમના લગ્નમાં બહુ ઓછા લોકોને આમંત્રણ આપ્યું હતું. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી. મળતી માહિતી મુજબ લગ્નમાં માત્ર 30-32 મહેમાનો આવ્યા હતા. કાર્યક્રમ સ્થળની નજીક મીડિયાને મંજૂરી આપવામાં આવી ન હતી.
રણબીર આલિયા પાંચ વર્ષથી રિલેશનમાં છે
રણબીર અને આલિયા લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે, જે બાદ બંનેએ હવે લગ્ન કરી લીધા છે. રણબીર અને આલિયાએ ભલે ઓછા લોકોને લગ્નમાં આમંત્રણ આપ્યું હોય પરંતુ બાદમાં તેઓ મોટું રિસેપ્શન આપશે. સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે 2 ભવ્ય સ્વાગત સમારોહ થશે.