રેખાને ઓળખ અપાવનાર તેલુગુ અભિનેત્રી અંજલિ દેવીનું નિધન
ચેન્નઈ, 13 જાન્યુઆરી : રેખાને આજે કોણ નથી ઓળખતું? પરંતુ શું કોઈ જાણે છે કે રેખાને એક બાળ કલાકાર તરીકે ઓળખ કોણે અપાવી હતી? કદાચ આપનો ઉત્તર ના હશે, પરંતુ અમે બતાવી દઇએ. એ શખ્સ હતાં અંજલિ દેવી. તેલુગુ ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેત્રી અંજલિ દેવી જોકે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે જ રેખાને એક બાળ કલાકાર તરીકે સ્થાપિત કર્યા હતાં.
અંજલિ દેવીનું સોમવારે અહીંની એક ખાનગી હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ 86 વર્ષના હતાં. તેમને ચાર દિવસ અગાઉ વિજયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં કે જ્યાં સોમવારે બપોરે તેમનું નિધન થઈ ગયું. તેમના પરિવારમાં બે પુત્રો છે. સને 1928માં જન્મેલા અંજિન કુમાર ઉર્ફે અંજલિ દેવીએ 1936માં બાળ કલાકાર તરીકે ફિલ્મી કૅરિયર શરૂ કર્યુહતું. ફિલ્મ દિગ્દર્શક સી. પુલૈયાએ અંજનિ કુમારને અંજલિ દેવી નામે ફિલ્મ જગતમાં સ્થાપિત કર્યા હતાં. 1947માં તેલુગુ ભાષાની પારિવારિક ફિલ્મ બાલારાજૂમાં અંજલિએ પહેલી વખત અક્કીનેની નાગેશ્વર રાવ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મોમાં નામ કમાવ્યા પહેલા અંજલિ લોકપ્રિય રંગભૂમિ કલાકાર રહી ચુક્યા હતાં.
પૌરાણિક અને પારિવારિક ફિલ્મોમાં કામ કર્યા બાદ અંજલિ કુમારને લોકો ઘર-ઘરમાં ઓળખવા લાગ્યાં. લવ કુશ, ભક્ત પ્રહ્લાદ, ભક્ત તુકારામ અને બાડી પનથુલુ તેમની કેટલીક મુખ્ય ફિલ્મોના નામો છે. તેમણે તામિળ ફિલ્મ નરપરાધિ તથા સર્વાધિકારી અને દેવતા અને શ્રી રામ વનવાસ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. અંજલિ દેવીએ પોતાની ફિલ્મ નિર્માણ કમ્પની અંજલિ પિક્ચર્સના બૅનર હેઠળ અનારકલી, પરદેસી તથા સુવર્ણ સુંદરી જેવી વીસેક સફળ ફિલ્મો બનાવી.
બહુ ઓછા લોકો જાણતા હશે કે હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેત્રી રેખાને તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમમાં બાળ કલાકાર તરીકે ઓળખ અપાવવાન શ્રેય અંજલિ દેવીને જ જાય છે.
વનઇન્ડિયા અંજલિ દેવીને પાઠવે છે તસવીરી શ્રદ્ધાંજલિ :

અંજલિ દેવી
અંજલિ દેવી

અંજલિ દેવી
અંજલિ દેવી

અંજલિ દેવી
અંજલિ દેવી

અંજલિ દેવી
અંજલિ દેવી

અંજલિ દેવી
અંજલિ દેવી

અંજલિ દેવી
અંજલિ દેવી

અંજલિ દેવી
અંજલિ દેવી

અંજલિ દેવી
અંજલિ દેવી

અંજલિ દેવી
અંજલિ દેવી

અંજલિ દેવી
અંજલિ દેવી
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
