Kapil Sharma Show શો બંધ થવા જઈ રહ્યો છે? જાણો શું છે હકિકત?
ટીવી અને કોમેડીની દુનિયામાં જાણીતો કપિલ શર્મા શો બંધ થવા જઈ રહ્યો હોવાની અટકળો શરૂ થઈ છે. બોલિવૂડ અને દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ જેમા જોવા મળે છે તે કપિલ શર્મા શો બંધ થઈ રહ્યો છે કે કેમ ફેન્સ તે જાણવા માંગે છે. આ શોના તમામ એપીસોડ ફેન્સને ખુબ જ પસંદ આવ્યા છે.
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, કપિલ શર્મા શોની ચોથી સિઝન આવનારા સમયમાં ઓનએર થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હાલ ચર્ચા ચાલી રહી છે કે શો બંધ થવા જઈ રહ્યો છે કે કેમ? ફેન્સ પણ આ સવાલને સોશિયલ મીડિયા પર પુછી રહ્યા છે. હવે આ મુદ્દે કપિલ શર્માની પ્રતિક્રિયા પણ આવી છે.

હાલમાં જ કપિલ શર્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અત્યારે કંઈ પણ અંતિમ નથી. વાસ્તવમાં કપિલ શર્મા જુલાઈ મહિનામાં લાઈવ ટૂર માટે UAS જઈ રહ્યો છે. કપિલ શર્માએ કહ્યું કે શું કરવુ એ આગળ જોઈશું.
કપિલના આ નિવેદને અફવાઓ પર રોક લગાવી દીધી છે. જો કે તે નિશ્ચિત છે કે કપિલ શર્મા જુલાઈમાં પ્રવાસ પર જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જો તે દરમિયાન શો ઓફ એર રહેશે તો તેને જુલાઈ પછી ફરી શરૂ કરવામાં આવશે.
કપિલ શર્મા શો અને હોસ્ટ કપિલ શર્મા ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. કલાકારો ઘણીવાર તેમની ફિલ્મોના પ્રમોશન માટે શોમાં આવે છે. આ સાથે તેમના જીવનના અનુભવો શેર કરે છે. આગામી એપિસોડમાં સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની ટીમ જોવા મળવાની છે.












Click it and Unblock the Notifications
