પડદા ઉપર કાલે સાકાર થશે વિવેકાનંદ, ગુજરાતમાં કરમુક્ત
મુંબઈ, 22 ઑગસ્ટ : સ્વામી વિવેકાનંદના જીવન પર બનેલી ‘ધ લાઇટ સ્વામી વિવેકાનંદ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવી છે. ગુજરાત સરકાર તરફથી ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ પસંદ પડી છે. નરેન્દ્ર મોદી માટે ગાંધીનગરમાં યોજાયેલા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મોદી ઉપરાંત કૅબિનેટ પ્રધાનોએ પણ આ ફિલ્મ જોઈ હતી. ફિલ્મ જોયા બાદ મોદીએ દેશના યુવાનોને ફિલ્મ જોવા હાકલ કરી હતી.
ધ લાઇટ સ્વામી વિવેકાનંદ આવતીકાલે અમદાવાદ સહિત દેશ ભરમાં રિલીઝ થઈ રહી છે. થિયેટર અભિનેતા દીપ ભટ્ટાચાર્યે ફિલ્મમાં સ્વામી વિવેકાનંદની ભૂમિકા ભજવી છે. ઉત્લપ સિન્હા દિગ્દર્શિત ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મમાં સ્વામી વિવેકાનંદના જીવનના વિવિધ તબક્કાઓ અને પાસાઓ રજૂ કરવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
