કંગનાએ જણાવ્યુ સુશાંત અને સારા વચ્ચે બ્રેકઅપનુ કારણ, કરીના વિશે આ કહ્યુ
બીએમસીએ કંગના રનોતની ઑફિસ પર કાર્યવાહી કરી ત્યારબાદ કે મહારાષ્ટ્ર સરકાર અને બૉલિવુડની મોટી હસ્તીઓ પર વધુ હુમલાવર થઈ ગઈ છે.
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈએ ભલે આ કેસની તપાસ શરૂ કરી દીધી હોય પરંતુ બૉલિવુડમાં નિવેદનબાજીનો સિલસિલો હજુ પણ ચાલુ જ છે. હાલમાં જ બીએમસીએ કંગના રનોતની ઑફિસ પર કાર્યવાહી કરી ત્યારબાદ કે મહારાષ્ટ્ર સરકાર અને બૉલિવુડની મોટી હસ્તીઓ પર વધુ હુમલાવર થઈ ગઈ છે. હવે તેણે કરીના કપૂર પર નિશાન સાધ્યુ છે.
કેમ થયુ સુશાંતનુ બ્રેકઅપ?
ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉને આપેલા એક ઈન્ટરવ્યુમાં કંગનાએ સુશાંત અને સારાના રિલેશન વિશે ખુલીને વાત કરી. તેણે કહ્યુ કે સુશાંત જ્યારે સારા અલી ખાનને ડેટ કરી રહ્યા હતા ત્યારે મૂવી માફિયા ઈચ્છતા હતા કે બંનેનુ બ્રેકઅપ થઈ જાય. આ ઉપરાંત કંગનાએ કરીના કપૂરનો પણ સુશાંત મામલે ઉલ્લેખ કર્યો. કંગનાના જણાવ્યા મુજબ કરીનાએ ખુદ આ વિશે સારાને કહ્યુ હતુ કે તુ પોતાના પહેલા હીરો(સુશાંત)ને ડેટ ના કરતી પ્લીઝ.
'મૂવી માફિયાએ સુશાંતને હેરાન કર્યો'
કંગનાના જણાવ્યા મુજબ બૉલિવુડના મૂવી માફિયાએ જ સુશાંતસિંહ રાજપૂતને હેરાન કર્યો હતો. તેને બેન કર્યો, સુશાંતના કેરેક્ટર પર સવાલ ઉઠાવ્યા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેને રેપિસ્ટ કહી દીધો. સુસાઈડ ગેંગ સતત સુશાંતને હેરાન કરતી રહી. કંગનાના જણાવ્યા મુજબ તેણે એ લોકો સામે હંમેશા બોલ્યુ છે જેણે સુશાંતને હેરાન કર્યો હતો. કંગનાએ ઘણા પ્રોડક્શન હાઉસ પર પણ નિશાન સાધ્યુ.
જીવને હતુ જોખમ
કંગનાએ કહ્યુ કે આખી દુનિયાએ જોયુ કે કેવી રીતે સુશાંતના પિતાની ફરિયાદને મુંબઈ પોલિસે ઈગ્નોર કરી. તેમણે પણ જ્યારે ડ્રગ્ઝ માફિયા સામે અવાજ ઉઠાવ્યો ત્યારે તેમને ડર લાગી રહ્યો હતો. ત્યારબાદ તેમણે સરકાર પાસે સુરક્ષા માંગી જે બાદમાં તેમને મળી પણ હતી. કંગનાના જણાવ્યા મુજબ ઘણી રાજકીય પાર્ટીઓએ બૉલિવુડ માફિયા સાથે હાથ મિલાવી લીધો છે. જો તેને સુરક્ષા ન મળતી તો તે પણ પાલઘરના સાધુઓની જેમ ક્યાંક મારી નાખવામાં આવતી. કંગનાએ સ્પષ્ટ કર્યુ કે તેણે ક્યારેય પણ મરાઠીઓ વિશે કંઈ કહ્યુ નથી.
ગુજરાત સરકારે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના રેટ ઘટાડ્યા