મલાઈકા અરોરા સાથે લગ્નના સમાચારો પર અર્જૂન કપૂરે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ?
બોલિવુડના જાણીતા ગૉસિપ કપલ અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા વિશે ઘણા સમયથી લગ્નની અફવાઓ ચાલી રહી છે. પહેલી વાર મીડિયાના સવાલ પર અર્જૂન કપૂરે પ્રતિક્રિયા આપી છે.
બોલિવુડના જાણીતા ગૉસિપ કપલ અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા વિશે ઘણા સમયથી લગ્નની અફવાઓ ચાલી રહી છે. એવામાં એક તરફ મલાઈકા અરોરાએ હજુ સુધી કંઈ નથી કહ્યુ ત્યાં પહેલી વાર મીડિયાના સવાલ પર અર્જૂન કપૂરે પ્રતિક્રિયા આપી છે. અર્જૂનને જ્યારે હાલમાં મલાઈકા સાથે લગ્નનો સવાલ કરવામાં આવ્યો તે તેમણે કહ્યુ, 'જો વાત કરવા માટે કંઈ હશે તો તમને બધાને જરૂર ખબર પડશે'. તમને જણાવી દઈએ કે બંને એપ્રિલમાં લગ્નના બંધનમાં બંધાવાના છે.

લગ્નની અફવા પર શું બોલી હતી મલાઈકા
ગયા વર્ષે જ્યારે મલાઈકાને લગ્નની અફવા પર સવાલ કરવામાં આવ્યો હતો તે તેમણે હિંદુસ્તાન ટાઈમ્સને કહ્યુ હતુ કે, ‘હું પર્સનલ સવાલોના જવાબ નથી આપતી, એટલા માટે નહિ કે મને આમ કરવામાં કોઈ શરમ છે પરંતુ એટલા માટે કારણકે હું આમ કરવામાં સહજ નથી હોતી.મારી જિંદગી વિશે દરેક જણ જાણે છે. મારા આ અંગે વાત કરવાની જરૂર નથી. હું મારી જિંદગી એન્જોય કરી રહી છુ. તે બહુ સુંદર અને પ્રેમાળ છે.'

મલાઈકાએ તોડ્યુ 19 વર્ષનું લગ્નજીવન
મલાઈકા અરોરાએ પોતાના પતિ અરબાઝ ખાન સાથે 19 વર્ષનું લગ્નજીવન તોડીને છૂટાછેડા લઈ લીધી. બંનેને એક પુત્ર પણ છે. હાલમાં જ કરીના કપૂરના એક શોમાં પહોંચેલી મલાઈકાએ પોતાના છૂટાછેડા પર વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ‘અમે બધી વસ્તુઓ માટે બહુ વિચાર્યુ, તેના ફાયદા અને નુકશાન વિશે વિચાર્યુ અને પછી નિર્ણય લીધો. અમે બંને એકબીજાથી નાખુશ હતા.'

છૂટાછેડા બાદ પુત્રએ એક દિવસ આવુ કહ્યુ
કરીનાના જ શોમાં મલાઈકાએ જણાવ્યુ કે થોડા સમયમાં પુત્ર અરહાને મારા અને અરબાઝના છૂટાછેડા સ્વીકારી લીધા અને એક દિવસ તેણે પાછા વળીને મને જાતે કહ્યુકે મા તમને ખુશ અને હસતા જોઈને સારુ લાગી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે મલાઈકાને છૂટાછેડા બાદ અરહાનની કસ્ટડી મળેલી છે અને તે તેમની સાથે રહે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
