શ્રદ્ધા હત્યાકાંડ બાદ તુનિષા શર્માએ કર્યુ હતુ બ્રેકઅપ, શીજાન ખાને કર્યો ખુલાસો
તુનિષા શર્મા સુસાઈડ બાદ આરોપી શીજાને પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસો કર્યો છે.
Tunisha Sharma: ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે શૂટિંગ દરમિયાન મેકઅપ રુમમાં રસ્સીથી લટકીને જીવ આપી દીધો. તુનિષાના મોતો સહુને હચમચાવી મૂક્યા હતા. આ સુસાઈડ કેસમાં તુનિષાના પ્રેમી શીજાન ખાનને પોલીસે કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. સોમવારે શીજાને પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછમાં ખુલાસો કર્યો કે તુનિષા સાથે તેનુ બ્રેકઅપ કેમ થયુ હતુ.

તમને જણાવી દઈએ કે તુનિષા શર્માના મોતના કેસમાં મુખ્ય આરોપી એવા તેના પ્રેમી શીજાન ખાને મોટા ખુલાસા કર્યા છે. તેણે કથિત રીતે પોલીસને જણાવ્યુ હતુ કે, શ્રદ્ધા વૉકરની કથિત રીતે તેના લિવ-ઈન પાર્ટનર દ્વારા કરવામાં આવેલી જધન્ય હત્યા બાદ ઉભરેલા દેશના માહોલથી એટલી ચિંતામાં આવી ગઈ હતી કે તેણે શીજાન ખાન સાથે પોતાનો સંબંધ ખતમ કરવાનો નિર્ણય કર્યો. પોલીસ કસ્ટડીના પ્રથમ દિવસે, શીજાને પોલીસને જણાવ્યુ હતુ કે શ્રદ્ધા વૉકર કેસ પછી તેણે તુનિષા સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડને કહ્યુ હતુ કે તે અલગ સમુદાયનો હોવાથી તે બ્રેકઅપ કરી રહી છે.
પૂછપરછ દરમિયાન શીજાન વધુમાં જણાવે છે કે તુનિષાએ અગાઉ પણ બ્રેક-અપ બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સૂત્રોએ શીજાનને ટાંકીને જણાવ્યુ હતુ કે, 'તુનિષાએ તાજેતરમાં તેના મૃત્યુના થોડા દિવસો પહેલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે મે તેને બચાવી હતી અને તુનિષાની માતાને તેની વિશેષ કાળજી લેવાનુ કહ્યુ હતુ.












Click it and Unblock the Notifications
