Shad News : ફારુખ શેખનું દુબઈમાં નિધન, અંતિમ સંસ્કાર મુંબઈમાં
મુંબઈ, 28 ડિસેમ્બર : બૉલીવુડના પ્રસિદ્ધ અભિનેતા ફારુખ શેખનું શુક્રવારની રાત્રે દુબઈમાં હૃદય રોગનો હુમલો થતા નિધન થઈ ગયું. મીડિયાને આ માહિતી તેમના મિત્ર અને અભિનેત્રી દીપ્તિ નવલે આપી. દુબઈમાં જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ફરુખનું શબ અંતિમ સંસ્કાર માટે મુંબઈ લાવવામાં આવશે. મુંબઈમાં જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ફારુખ શેખ 65 વર્ષના હતાં અને તેમની તબીયત અગાઉ સારી હતી અને તેમણે બે માસ પહેલા જ શારજાહ પુસ્તક મેળામાં હાજરી પણ આપી હતી.
દીપ્તિ નવલે શોક વ્યક્ત કરતા જણાવ્યું - મને હાલ પુરતી માહિતી નથી અને હું અત્યારે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવાની સ્થિતિમાં નથી, પણ એક મિત્રે તેની પુષ્ટિ કરી છે. મેં શબાના આઝમી સાથે પણ વાત કરી છે કે જેઓને આ અવિશ્વસનીય, દુઃખદ અને સ્તબ્ધ કરનારી માહિતી હતી. આ અવિશ્વસનીય છે. હું આશ્ચર્યચકિત છું. તેઓ ફિલ્મોદ્યોગના એક શ્રેષ્ઠ અભિનેતા હતા. તેઓ એક એવા વ્યક્તિત્વ હતાં કે જેમણે કામ કરવા માટે મને પ્રોત્સાહિત કરી.
દીપ્તિ નવલે જણાવ્યું - મારી ઉપર શબાનાનો ફોન આવ્યો. શબાનાએ જણાવ્યું કે શેખને દુબઈમાં હૃદય રોગનો હુમલો થયો. તેમનું શબ ભારત લાવવામાં આવશે. હું હાલ હિમાચલ પ્રદેશ છું. હું મુંબઈ પરત ફરી રહી છું. દીપ્તિ નવલે તે વાયદો યાદ કર્યો કે જે તેમણે અને શેખે કર્યો હતો. તેમણે જણાવ્યું - અમારી છેલ્લી ફિલ્મ લિશન અમાયા બાદ તેમણે અને મેં એક-બીજા સાથે વાયદો કર્યો હતો કે અમે બીજી વાર સાથે કામ કરીશું અને અનેક ફિલ્મો પાઇપલાઇનમાં હતી. અમે કામ સંદર્ભે સંપર્ક જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.