સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે નિધન, 10 વર્ષની ઉંમરે છોડ્યુ હતુ ઘર
ભારતીય સિનેમાના દિગ્ગજ સંગીતકાર ખય્યામનું નિધન થઈ ગયુ છે. લાંબી બિમારી સામે ઝઝૂમી રહેલા ખય્યામે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
ભારતીય સિનેમાના દિગ્ગજ સંગીતકાર ખય્યામનું નિધન થઈ ગયુ છે. લાંબી બિમારી સામે ઝઝૂમી રહેલા ખય્યામે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 93 વર્ષના ખય્યામના નિધનના સમાચાર સાંભળતા જ બોલિવુડમાં શોકની લહેર દોડી ગઈ. તેમના મોતના સમાચાર સાંભળી બોલિવુડના સ્ટાર્સ અને સંગીત જગત સાથે જોડાયેલા લોકોએ શોક વ્યક્ત કર્યો.

ફિલ્મ જગતમાં ખય્યામના નામથી જાણીતા
ખય્યામનું આખુ નામ મોહમ્મદ જહૂર ખય્યામ હાશમી હતુ પરંતુ સંગીત અને બોલિવુડ જગતમાં તેમને ખય્યામના નામથી પ્રસિદ્ધિ મળી. તેમનો જન્મ અવિભાજીત પંજાબના નવાંશહરમાં 18 ફેબ્રુઆરી 1927માં થયો હતો. ઘણી વાર ઘરેથી ભાગીને ફિલ્મ જોવા જતા રહેતા હતા. તેમની આ આદતથી તેમના ઘરના લોકો કંટાળી ગયા હતા. માત્ર 10 વર્ષની ઉંમરમાં જ તેમણે પોતાનું ઘર છોડી દીધુ હતુ અને ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે પોતાના કાકાના ઘરે દિલ્લી આવી ગયા.

સંગીતકાર નહિ અભિનેતા બનવા ઈચ્છતા હતા ખય્યામ
ખય્યામ જેમની મધુર ધૂનોએ લાખો લોકોને પોતાના દીવાના બનાવ્યા તે બાળપણમાં સંગીતકાર નહિ પરંતુ અભિનેતા બનવા ઈચ્છતા હતા. તેમણે નાની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાની ધૂન પકડી લીધી અને પોતાનુ ઘર છોડીને કાકાના ઘરે દિલ્લી આવી ગયા. તેમના કાકાએ જ્યારે તેમની અંદર સંગીત અને અભિનય માટે રુચિ જોઈ તો તેમનો સંગીત સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો. તેમને સંગીત શીખવાની અનુમતિ આપી. ખય્યામે સંગીતની પ્રારંભિક શિક્ષા પંડિત ઈમરાથ, પંડિત હુસ્નલાલ-ભગતરામ પાસેથી લીધી. આ દરમિયાન તેમની મુલાકાત પાકિસ્તાનના જાણીતા સંગીતકાર જીએસ ચિશ્તી સાથે થઈ જેમણે તેમની સંગીત ધૂનને સાંભળીને જ તેમને પોતાના સહાયક રાખી લીધી. ત્યારબાદ તેમણે ક્યારેય પાછુ વળીને જોયુ નથી.

આ ફિલ્મોની ધૂને લોકોને બનાવ્યા દીવાના
તેમના કરિયરની શરૂઆત વર્ષ 1947માં થઈ. ખય્યામે પહેલી વાર ફિલ્મ ‘હીર રાંઝા'માં સંગીત આપ્યુ. આ ફિલ્મથી ભલે તેમણે બોલિવુડમાં એન્ટ્રી કરી પરંતુ તેમને ઓળખ મળી મોહમ્મદ રફીના હીત ‘અકેલેમે વહ ઘબરાતે તો હોંગે'. ત્યારબાદ તેમણે ફિલ્મ શોલા ઓર શબનમમાં સંગીત આપ્યુ જેને લોકોએ ખૂબ પસંદ કર્યુ. ખય્યામ અને સાહિરની જોડી બોલિવુડમાં જાણીતી થઈ ગઈ. તેમણે એકસાથે ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યુ જેને લોકોએ ખૂબ પસંદ કર્યુ. ત્યારબાદ તેમણે પોતાની પત્ની જગજીત કૌર સાથે બાઝાર, શગુન અને ઉમરાવ જાનમાં કામ કર્યુ જેમણે તેમને નવી બુલંદીઓ પર પહોંચાડ્યા. ફિલ્મ કભી કભી અને ઉમરાવ જાન જેવી ફિલ્મો માટે તેમને ફિલ્મફેર અવોર્ડ મળ્યો. તેમના યાદગાર ગીતોમાં ‘વો સુબહ કભી તો આયેગી', ‘જાને ક્યાં ઢૂંઢતી રહેતી હે યે આંખે મુઝમે', ‘બુઝા દિએ હે ખુદ અપને હાથો', ‘ઠહરિયે હોશ મે આ લુ', ‘તુમ અપના રંજો ગમ અપની પરેશાની મુઝે દે દો', ‘શામે ગમ કી કસમ', ‘બહારો મેરા જીવન ભી સંવારો' જેવા અનેકો ગીતોમાં પોતાના સંગીતથી ચાર ચાંદ લગાવી દીધા. આ સહાબહાર સંગીત માટે ખય્યામ હંમેશા લોકોના દિલોમાં જીવિત રહેશે. જ્યારે જ્યારે આ ધૂન લોકોના કાનોમાં સંભળાશે ત્યારે તેમની યાદો લોકોને ફરીથી તાજી થઈ જશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
