બસ 24 કલાક... અને વિદ્યા થઈ જશે સિદ્ધાર્થના
મુંબઈ, 13 ડિસેમ્બર : બસ છેલ્લા 24 કલાક બચ્યાં છે. પછી બૉલીવુડના ડર્ટી ક્વીન વિદ્યા બાલન થઈ જશે સિદ્ધાર્થ રૉય કપૂરના. વિદ્યા-સિદ્ધાર્થ વચ્ચેનો લાંબાગાળાનો પ્રેમ લગ્નમાં પરિણમી જશે.
વિદ્યા બાલન આવતીકાલે એટલે કે 14મી ડિસેમ્બર, 2012 શુક્રવારના રોજ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્નગ્રંથિથી જોડાઈ જશે. હંમેશા પોતાના અંગત સંબંધો અંગે મૌન સેવનાર વિદ્યા અને સિદ્ધાર્થ 11મી ડિસેમ્બરે સંગીત સેરેમનીમાં પ્રથમ વાર મીડિયા સામે આવ્યાં અને ઊષ્માપૂર્વક લોકો સાથે મળ્યાં. કાંજીવરમ્ સિલ્ક સાડીમાં વિદ્યા ખૂબ જ હસીન લાગતા હતાં.
સમાચાર મળે છે કે સિદ્ધાર્થ-વિદ્યા શુક્રવાર ચેંબૂર ખાતે આવેલ મંદિરમાં લગ્ન કરનાર છે. જોકે બંને તરફથી આ અંગે કઈં કહેવાયું નથી. કહેવાય છે કે વિદ્યા લગ્નમાં ડિઝાઇનર સવ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઇન કરાયેલ સાડી પહેરશે. વિદ્યાના લગ્નનું રિસેપ્શન ચેન્નઈ ખાતે યોજાશે. વિદ્યા-સિદ્ધાર્થની મહેંદી સેરેમની પણ યોજાઈ કે જેમાં રેખા સહિત બૉલીવુડની ચુનંદા હસ્તીઓ પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન યુટીવી મોશન પિક્ચરના સીઈઓ સદ્ધાર્થ રૉય કપૂર સાથે લાંબગાળાથી ડેટિંગ કરી રહ્યાં છે. લગ્ન બાદ વિદ્યા સિદ્ધાર્થના ત્રીજા પત્ની બનશે. સદ્ધાર્થે પ્રથમ લગ્ન પોતાના બાળપણની મિત્ર સાથે કર્યા હતાં, પરંતુ પછી બંને જુદાં થઈ ગયાં. સિદ્ધાર્થના બીજા પત્ની એક ટેલીવિઝન પ્રોડ્યુસર હતાં કેજે ત્રણ વર્ષ બાદ સિદ્ધાર્થથી જુદા થઈ ગયાં. આમ વિદ્યા સિદ્ધાર્થના જીવનમાં પ્રવેશ કરનાર ત્રીજા સ્ત્રી હશે.