વિરાટ અને અનુષ્કાની સરપ્રાસઇઝ વેડિંગ ઇટલીમાં છે?
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન ડિસેમ્બરના અંતમાં થાય તેવી પાક્કી સંભાવના. ઇટલીના રિસોર્ટમાં ચાલી રહી છે લગ્ની તૈયારી. આ અંગે વધુ વાંચો અહીં.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નની અફવાઓએ ઘણા સમયથી જોર પકડ્યુ હતું. ત્યારે અંતે તેમના લગ્ન ઇટલીના એક રિસોર્ટમાં થવાના છે એ વાતની પાક્કી પુષ્ટી કરવામાં આવી છે. આ લાઇમલાઇટ કપલ ઘણા સમયથી સાથે રજાઓ ગાળતા જોવા મળી રહ્યા હતા. સાથે ફરવા જતા અને અનેક એવોર્ડ ફક્શનમાં પણ તેઓ અવારનવાર સાથે આવતા હતા. ક્રિકેટર યુવરાજસિંહના લગ્ન બાદ વિરાટ અને અનુષ્કા પણ બહુ જલ્દી લગ્ન કરશે એ વાતની અફવાઓ મીડિયામાં આવતી હતી. ત્યારે આ ડિસેમ્બરના અંત સુધીમાં વિરાટ અને અનુષ્કા લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે તે નક્કી થઈ ગયુ છે.

ઇટલીના રિસોર્ટમાં લગ્ન
મળતી માહિતની અનુસાર વિરાટ અને અનુષ્કાના લગ્ન ઇટલીના ટસ્કની રિસોર્ટમાં થશે. આ ગ્રાન્ડ વેડિંગ માટે જોરશોરથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આવતા સપ્તાહમાં તેમના લગ્ન થાય તેવી સંભાવના છે. તેમના લગ્નને લઈને રિસોર્ટની આસપાસ ચુસ્ત હાઇ સિક્યોરિટી કોરિડોર બનાવવામાં આવ્યો છે. સાથે જ અહી લોકોને આવવા પર પણ મનાઇ કરવામાં આવી છે.

પંજાબી રિવાજોથી થશે લગ્ન
કોહલી હંમેશા તેના મસ્તીવાળા સ્વભાવના કારણે ઓળખાય છે. મોટાભાગે તે કોઈ લગ્ન અથવા પાર્ટીમાં પંજાબી કુર્તા-પાયજામામાં અને ભાંગડા કરતો જોવા મળે છે. આથી તેમના લગ્ન પણ પુરા પંજાબી રિતરિવાજ સાથે થશે. મળતી માહિતી અનુસાર કોહલીના લગ્નની પ્લાનિંગ માટે વેડિંગ પ્લાનરને રાખવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે, વિરાટ અને અનુષ્કાની લગ્ન પંજાબી રીતથી થશે.

રાતે થશે જોરદાર પાર્ટી
પંજાબી રિતરિવાજોની વાત કરવામાં આવે તો તેમા ઢોલનું ઘણું મહત્વ છે. આથી આ લગ્ન માટે ખાસ ઢોલ-નગાડા વાળેને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાસ પ્રોફ્શનલ ભાંગડા ડાન્સરને પણ બોલાવવામાં આવી છે. આ તમામ વ્યક્તિ રિસોર્ટમાં જતા જોવા મળ્યા છે આથી આ વાત તો નક્કી છે કે વિરાટ અને અનુષ્કા અંતે લગ્ન કરી રહ્યા છે. તથા તેમના લગ્ન પણ તેમની જોડી જેવા સુપર રહેશે આ વાત પણ સ્પષ્ટ છે.

26 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન
આ તમામ ઘટનાથી એક વાત તો નક્કી થઈ જાય છે કે, ઈટલીમા આ કપલના લગ્ન ફાઇનલ છે. એ બાદ 26 ડિસેમ્બરના રોજ મુંબઇમાં રિસેપ્શનની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર આ રિસેપ્શન શ્રીલંકા સાથેની મેચના ઠીક બે દિવસ બાદ કરવામાં આવશે. છેલ્લી ટી-20 મેચ 24 ડિસેમ્બરના રોજ મુંબઈમાં રમાશે. આથી એ બાદ રિસેપ્શનમાં ભારતીય ટીમના ખેલાડીઓ પણ આવી શકે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જોવા મળશે ઘણી હસ્તિઓ
વિરાટ કોહલી અને અનુષ્કાના લગ્નમાં ક્રિકેટ જગત અને બોલિવૂડની ઘણી જાણીતી હસ્તિઓ જોવા મળશે તેવી સંભાવના છે. જેમાં બીસીસીઆઇના ઘણા પદાધિકારીઓ, બોલીવૂડના જાણીતા લોકો, ઉદ્યોગપતિઓ અને બીજા ઘણા લોકોને આંમત્રણ આપવામાં આવ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?












Click it and Unblock the Notifications
