Pics : વન બાય ટૂ સાથે પડદા પર દેખાશે રીયલ લાઇફ કપલ
મુંબઈ, 29 જાન્યુઆરી : સામાન્ય રીતે આપે જોયું હશે કે રીલ કપલ કોઈ ફિલ્મ બાદ રીયલ કપલમાં તબ્દીલ થઈ જાય છે, પણ કદાચ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે એક રીયલ કપલ હવે લોકો સામે રીલ કપલ બનવા જઈ રહ્યું છે.
આપ બરાબર સમજ્યાં. પ્રીતિ દેસાઈ અને અભય દેઓલ અંગે વાત કરીએ છીએ અમે. રીયલ લાઇફમાં પ્રેમી-પ્રેમિકા અભય-પ્રીતિ ટુંકમાં જ પોતાની આવનાર ફિલ્મ વન બાય ટૂમાં રીલ કપલ તરીકે નજરે પડશે. ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે.
અભય દેઓલ અને પ્રીતિ દેસાઈ વચ્ચે પ્રણયની ચર્ચાઓ છેલ્લા કેટલાંક દિવસથી ચાલી રહી છે. આ યુગલ દરેક બૉલીવુડ ઇવેંટમાં પણ સાથે-સાથે દેખાય છે. સામાન્ય રીતે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન હોય કે ધર્મેન્દ્ર અને હેમા માલિની હોય કે પછી અજય દેવગણ અને કાજોલ તથા અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના હોય. આ તમામ જોડીઓ પહેલા ફિલ્મોમાં દેખાઈ અને પછી તેમણે લગ્ન કર્યાં, જ્યારે અભય-પ્રીતિ કદાચ એવી પહેલી જોડી હશે કે જે પહેલા રીયલ લાઇફમાં કપલ થયા બાદ રીલ લાઇફમાં દેખાવાનાં છે.
આવો તસવીરો સાથે જાણીએ તેમના મંતવ્યો :

પ્રોફેશનલ અભય-પ્રીતિ
પ્રીતિ દેસાઈ વન બાય ટૂ અંગે જણાવ્યું - હું શરુઆતમાં હતાશ હતી, કારણ કે હું વિચારતી હતી કે ફિલ્મમાં અભય સાથે મારી કેમેસ્ટ્રી કેવી દેખાશે. આ તેમની સાથે મારી પ્રથમ ફિલ્મ છે, પરંતુ અમારી વચ્ચે સારી કેમેસ્ટ્રી હતી. ફિલ્મમાં કામ કરતી વખતે અમે ખૂબ જ પ્રોફેશનલી હતાં.

દર્શકો નક્કી કરશે
જોકે પ્રીતિને લાગે છે કે ફિલ્મ જોયાબાદ દર્શક તેમની જોડી અંગે નિર્ણય કરશે. તેમણે જણાવ્યું - દર્શકો ફિલ્મ જોશે, ત્યારે નક્કી કરશે.

જિંદગીથી ત્રસ્ત યુગલની વાર્તા
વન બાય ટૂ એક પ્રણય કથા છે કે જે એક યુગલ પર આધારિત છે. આ યુગલની મુલાકાત મુંબઈમાં થાય છે. બંને પોતાની જિંદગીથી ત્રસ્ત થઈ ગયાં છે અને પરિસ્થિતિઓ બદલવા માંગે છે.

સ્વસ્થ કૉમેડી
વન બાય ટૂ ફિલ્મમાં સ્વસ્થ કૉમેડીને થોડાક બોલ્ડ અંદાજમાં રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે. વન બાય ટૂના દિગ્દર્શિકા દેવિકા ભગત છે.

અગાઉની ફિલ્મોનો મેળ
અભય દેઓલ કહે છે - વન બાય ટૂ મારી અગાઉની ફિલ્મો ઝિંદગી ના મિલેગી દોબારા અને સોચા ન થાનો મેળ છે કે જે રૂમાનિયત, દર્શન અને સાહસ અંગે વાત કરે છે.












Click it and Unblock the Notifications
