દર્શકો નવી શૈલીની ફિલ્મો સ્વીકારતા થયાં છે : અનુભવ
મુંબઈ, 6 સપ્ટેમ્બર : ફિલ્મકાર અનુભવ સિન્હા કહે છે કે હિન્દી ફિલ્મોના દર્શકો આજે પણ ફિલ્મ સ્ટાર્સને ભગવાનની જેમ પૂજે છે, પણ સિન્હાને એ વાતની ખુશી છે કે ફિલ્મોની નવી શૈલીઓ પોતાની રીતે સિનેમા ઘરોમાં પ્રવેશ કરી રહી છે.
સિન્હાએ અજય દેવગણ તથા સંજય દત્ત જેવા સ્થાપિત કલાકારો સાથે કામ કર્યું છે અને નવોદિત કલાકારો સાથે પણ કામ કરી ચુક્યાં છે. તેમણે જણાવ્યું - બૉલીવુડ પોતાની સદીઓ જૂની પરમ્પરામાંથી બહાર નથી નિકળી શકતું. આપણને સ્ટાર્સ સાથે બહુ લગાવ હોય છે અને આપણે તેમની પૂજા કરીએ છીએ. બૉલીવુડની સૌથી વધુ કમાણી કરનાર દસ ફિલ્મો જોઈ લો. ફિલમો પોતાના કલાકારોના નામે સફળ થઈ છે, પણ હાલના તબક્કે દર્શકો નવી શૈલીની ફિલ્મોને પણ પસંદ કરી રહ્યાં છે. વિદ્યા બાલન અભિનીત કહાની તેનું દૃષ્ટાંત છે.
અનુભવ સિન્હાએ જણાવ્યું - હાલમાં જે કંઈ ચાલી રહ્યું છે, તે એ છે કે દર્શકો હવે પરમ્પરાગત બૉલીવુડ વાર્તાઓ કરતાં જુદી ફિલ્મો પણ સ્વીકારી રહ્યાં છે અને પસંદ કરી રહ્યાં છે. સિન્હાની આવનાર ફિલ્મ વૉર્નિંગમાં સુઝાન રોડરિગ્ઝ તથા સંતોષ બારમોલા જેવા નવોદિત કલાકારો છે, તો ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને જુહીચાવલા જેવા સ્થાપિત કલાકારો છે.