રિયા ચક્રવર્તી પર ભડકી જિયા ખાનની મા, તે સુશાંતને છોડીને કેમ ગઈ? જ્યારે તે દુઃખમાં હતો?
જિયા ખાનની મા સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ ભડકી છે કારણકે તે ડિપ્રેશનમાં તેને છોડીને જતી રહી. જાણો તેમણે શું કહ્યુ.
બૉલિવુડ સહિત આખો દેશ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી શોકમાં છે. કોઈને સમજમાં નથી આવી રહ્યુ કે અભિનેતાએ આવુ કેમ કર્યુ, દરેક જણ આ સવાલનો જવાબ શોધવામાં લાગ્યા છે, કહેવામાં આવી રહ્યુ છે કે સુશાંત સિંહ ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ દુશ્મનીના કારણે ડિપ્રેશનના શિકાર હતા. જેના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી. હાલમાં પોલિસ દરેક પાસાંઓની તપાસ કરી રહી છે, એટલા માટે તેમણે ઘણા લોકોની પૂછપરછ પણ કરી છે જેમાં સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ શામેલ છે જેના વિશે કહેવામાં આવી રહ્યુ છે કે તે અને સુશાંત આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા.

'છેવટે રિયા ચક્રવર્તી શું કરી હતી'
જેણે પોલિસ સામે એ વાત કહી છે કે સુશાંત સિંહ રાજપૂતે યશરાજ ફિલ્મ્સ સાથે પોતાનો કૉન્ટ્રાક્ટ ખતમ કરી લીધો હતો, સુશાંતે રિયાને પણ પોતાનો કૉન્ટ્રાક્ટ ખતમ કરવા માટે કહ્યુ હતુ, રિયાનુ આ નિવેદન ઘણુ ઉલટફેર કરી શકે છે કારણકે આ પહેલા કહેવામાં આવી રહ્યુ હતુ કે યશરાજ ફિલ્મ્સે સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી અને તેનેે બેન કર્યો હતો પરંતુ રિયાનુ નિવેદન આ વાતથી એકદમ ઉલટુ છે. હાલમં પોલિસ પોતાની રીતે આ વિશે તપાસ કરી રહી છે.

રિયા ચક્રવર્તી પર ભડકી જિયા ખાનની મા
વળી, રિયા વિશે બૉલિવુડની દિવંગત અભિનેત્રી જિયા ખાનની મા રાબિયા ખાને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે રિયાને આડેહાથ લઈને કહ્યુ છે કે રિયા મને ઘણી ચાલાક લાગે છે, કદાચ તેને ત્યાં એટલા માટે જ રાખવામાં આવી છે કે તે સુશાંતના દિમાગાં એ ભરી શકે કે તેની દિમાગી હાલત ઠીક નથી અને તેને દવા અને ઈલાજની જરૂર છે, જ્યારે તે એની સાથે લગ્નના સપના જોઈ રહી હતી તો પછી તેને છોડીને કેમ ગઈ?

'એને દાદાની ઉંમરના બુઢ્ઢા માણસોથી કોઈ વાંધો નથી'
'જ્યારે તેને ખબર હતી કે સુશાંત માનસિક રીતે હેરાન થઈ રહ્યો છે તો પછી રાતે એનો ફોન કેમ ના ઉઠાવ્યો, શું એને આમ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ? જો આવુ જ હતુ તો એના શું પુરાવા છે કે તે સુશાંતને મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ કરી રહી હતી? આના બદલે એવુ લાગે છે કે તે કામ મેળવવાના ચક્કરમાં એટલી વધુ લાલચી બની ગઈ હતી કે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી, ત્યાં સુધી કે તેને પોતાની દાદાની ઉંમરના બુઢ્ઢાઓથી પણ કોઈ વાંધો નહોતો.'

રાબિયા ખાનનુ આ નિવેદન ઘણુ ચોંકાવનારુ
રાબિયા ખાનનુ આ નિવેદન ઘણુ ચોંકાવનારુ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા રાબિયા ખાને એક વીડિયો જારી કરીને સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તમને જણાવી દઈએ કે જિયાએ પણ વર્ષ 2013માં સુશાંતની જેમ આત્મહત્યા કરી લીધી હતી. જિયાની મા રાબિયા અમીને વીડિયોમાં કહ્યુ હતુ કે આ કોઈ મજાક નથી, આ બધુ હ્રદય કંપાવી દે તેવુ છે, બૉલિવુડે જાગવુ અને બદલવુ જોઈએ. બુલી(ખેંચવી)પણ એક મોટો ગુનો છે, આના પર રોક લાગવી જોઈએ.
|
રાબિયા ખાને સલમાન ખાન પર લગાવ્યા સંગીન આરોપ
તેમણે કહ્યુ કે હું જિયાના કેસ વિશે સીબીઆઈના એક અધિકારીને મળી હતી, તે વિદેશથી પાછા આવ્યા હતા. તેમણે જણાવ્યુ કે તેમની પાસે રોજ સલમાન ખાન ફોન કરતા હતા. સાથે જ કહેતા હતા કે એ છોકરાની પૂછપરછ બંધ કરી દો. સલમાને અધિકારીને કહ્યુ કે છોકરા પણ ઘણા પૈસા લાગ્યા છે. એવામાં તે શું કરી શકે છે. તમને જણાવી દઈએ કે 2013માં જિયાએ આત્મહત્યા કરી હતી, એ દરમિયાન સૂરજ પંચોલીની લાંબી પૂછપરછ ચાલી હતી, તે અરેસ્ટ પણ થયા હતા. તમને જણાવી દઈએ કે સૂરજ પંચોલી એક્ટર આદિત્ય પંચોલી અને અભિનેત્રી ઝરીના વહાબનો પુત્ર છે જેને સલમાને જ ફિલ્મ હીરોમાં લૉન્ચ કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
