‘સ્વપ્ન બની ગયાં તિલક અને તુલસીની માળા’
મુંબઈ, 20 નવેમ્બર : ગત રવિવારે શિવેસના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેનો અંતિમ સંસ્કાર કરી દેવાયો. સમગ્ર મહારાષ્ટ્ર ઠાકરેના અવસાન અંગે શોકમગ્ન છે, તો બીજી બાજુ બૉલીવુડ જગત પણ શિવસેના સુપ્રીમો જતા દુઃખી છે. આ જ કારણ છે કે બૉલીવુડની જાણીતી હસ્તીઓ ઠાકરેના અંતિમ સંસ્કારમાં હાજર રહી. તેમાં બિગ બી અમિતાભ બચ્ચન પણ હતાં. ઠાકરે સાથે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતાં અમિતાભે પોતાના બ્લૉગ પર લખ્યું છે કે જ્યારે ઠાકરેના અંતિમ સંસ્કાર બાદ તેઓ પરત ફરી રહ્યા હતાં ત્યારે તેમની આંખો સામે માત્ર બે તસવીરો જ દેખાતી હતી.

પ્રથમ એ કે હવે બાલ ઠાકરેના નામની આગળ સ્વર્ગસ્થ લખાશે અને બીજી એ કે ઠાકરેના ઝળહળતા ચહેરા પર ગોળ તિલક તથા છાતીએ લટકતી તુલસીની માળા. હવે તેમનું આ રૂપ માત્ર એકમાત્ર સ્વપ્ન બની રહી ગયું છે. કઈંક આવી જ ઘુંટાતી લાગણીઓ સાથે અમિતાભ બચ્ચન શિવાજી પાર્કથી પોતાના ઘર જલસા પરત ફર્યા હતાં.
અમિતાભ બચ્ચને અગાઉ પણ પોતાના બ્લૉગ પર ઠાકરે સાથે જોડાયેલ કેટલીક અણમોલ તેમજ વણકહેલી વાતો શૅર કરી હતી. અમિતાભના પત્ની જયા બચ્ચનને પોતાના બહેન માનનાર ઠાકરે માટે હંમેશથી બચ્ચન પરિવાર ખાસ રહ્યુ છે. ઠાકરેનું સ્વાસ્થ્ય કથળતા અમિતાભે પોતાની પૌત્રી આરાધ્યાનો પ્રથમ જન્મ દિવસ ધામધૂમથી ઉજવવાનું ટાળ્યુ હતું. અમિતાભે ઠાકરેના નિધન અંગે જણાવ્યુ હતું કે આજે એક યુગનો અંત આવી ગયો. ઠાકરે એક યુગ પુરુષ હતાં.
નોંધનીય છે કે શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેનું ગત 17મી નવેમ્બરના રોજ હૃદય રોગનો હુમલો થતાં અવસાન થયુ હતું. તેઓ 60 વર્ષના હતાં.












Click it and Unblock the Notifications
