રણબીર-આલિયાના લગ્નનુ ક્યારે થશે રિસેપ્શન? મા નીતુ કપૂરે આપ્યુ આ રિએક્શન
મા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે લગ્ન બાદના રિસેપ્શન વિશે મોટો ખુલાસો કર્યો.
મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને તેમના લગ્નના ફોટા ઈન્ટરનેટ પર તહેલકો મચાવી ચૂક્યા છે. સિમ્પલ લગ્નને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. બંને દ્વારા મીડિયાને અભિનંદન આપ્યા બાદ મા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે લગ્ન બાદના રિસેપ્શન વિશે મોટો ખુલાસો કર્યો.
ક્યારે હશે રિસેપ્શન, મા નીતુ કપૂરે આપ્યુ આ રિએક્શન
પહેલા સમાચાર હતા કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નનુ રિસેપ્શન 16 એપ્રિલ અને 17 એપ્રિલના રોજ થશે પરંતુ હવે લાગી રહ્યુ છે કે કદાચ કોઈ રિસેપ્શન ન થાય. મૉમ નીતુ કપૂરે મીડિયા સાથે વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે કોઈ રિસેપ્શન નહિ થાય.
લગ્ન ખતમ થયા બાદથી હવે બધા સૂઈ શકે છે
નીતુ કપૂરે મીડિયા ફોટોગ્રાફર સાથે વાત કરીને ફેન્સને આલિયા અને રણબીરને આશીર્વાદ આપવા માટે કહ્યુ. તેમણે કહ્યુ કે, 'આલિયા અને રણબીરને સદા ખુશ રહેવાની શુભકામનાઓ આપો.' આલિયા અને રણબીરના લગ્નનુ રિસેપ્શન ક્યારે થશે તેના પર જવાબ આફીને નીતુ કપૂરે કહ્યુ કે લગ્ન ખતમ થયા બાદ હવે સહુ સૂઈ શકે છે. બધુ થઈ ગયુ અલગથી કોઈ રિસેપ્શન નહિ થાય. હવે તમે આરામથી સૂઈ જાવ.
આલિયા અને રણબીરના લગ્નનો પહેલો ફોટો
આલિયાએ છેવટે પતિ રણબીર સાથે પોતાના લગ્નના સ્વપ્નિલ ફોટો શેર કર્યા હતા. નવપરિણીત અભિનેત્રીએ પોતાના પતિ રણબીર કપૂર સાથે સુંદર ફોટા પોસ્ટ કર્યા. આલિયા એવી જ લાગતી હતી જેવી તેને એક દુલ્હન તરીકે તેના ફેન્સે કલ્પના કરી હતી - મંત્રમુગ્ધ કરી દેતા તેના ફોટા લાગ્યા અને રણબીરને તો રાખી સાવંતે તો રાજકુમાર ગણાવ્યો.
આલિયાએ ફોટો શેર કરીને પોસ્ટમાં લખી આ વાત
આજે, અમારા પરિવાર અને દોસ્તોથી ઘેરાયેલા, અમારા મનગમતા સ્થળ ઘર પર - જે બાલકનીમાં અમે પોતાના રિલેશનને છેલ્લા 5 વર્ષમાં પસાર કર્યો છે - અમે લગ્ન કરી લીધા. અમારી સાથે પહેલેથી જ ઘણુ બધુ છે, અમે પ્રેમ, હાસ્ય, આરામ, મૌન...