અને આમિરે 150 કરોડને લાત મારી દીધી
મુંબઈ, 22 ઑક્ટોબર : ફિલ્મ અભિનેતા આમિર ખાન વિશે કહેવાય છે કે તેઓ ક્યારેય ક્વૉલિટી સાથે સમજૂતી નથી કરતાં. પોતાની ગુણવત્તા જાળવી રાખવા આમિર ખાન પૈસાની પણ પરવા નથી કરતાં, પરંતુ આ વાતની ખાત્રી તે વખતે વધુ પાક્કી થઈ ગઈ કે જ્યારે આમિર ખાને 150 કરોડ રુપિયાનું એડવર્ટાઇઝિંગ કૉન્ટ્રાક્ટ સાઇન કરવાનો ઇનકાર કરી નાંખ્યો.

તેની પાછળનું કારણ એમ જણાવાઈ રહ્યું છે કે આમિર ખાન પોતાના પ્રથમ ટેલીવિઝન શો સત્યમેવ જયતેના બીજા સેશનની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેના માટે તેઓ રાત-દિવસ મહેનત કરી રહ્યાં છે, જ્યારે જે એડ તેમની પાસે આવી હતી, તે સત્યમેવ જયતે પાર્ટ વનના શુટિંગ દરમિયાન આવી હતી કે જે ઑગસ્ટમાં શુટ થવાની હતી, પરંતુ આમિર ખાને પોતાના શોને મહત્વ આપતાં એડ ઠુકરાવી દીધી.
આમિર ખાનને જાણનારાઓ કહે છે કે આટલી મોટી રકમ ઠુકરાવવા માટે બહુ મોટું કાળજું જોઇએ કે જે આમિર પાસે છે અને કદાચ આ જ વસ્તુ છે કે જે તેમને બીજા કરતાં જુદાં તારવે છે. આમિર ખાન અંગે કહેવાય છે કે હવે કદાચ તેઓ તે જ એડ કરશે કે જેમાં દેશવાસીઓ માટે કઈંક મૅસેજ હોય. હાલ તો આમિર ખાન પોતાના માતા ઝીનત સાથે હજયાત્રાએ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
