આઝાદના જન્મ દિવસે કેમ આવ્યાં આમિરના પ્રથમ પત્ની?

મુંબઈ, 4 ડિસેમ્બર : બૉલીવુડના હીરો સામાન્ય રીતે લોકોના દિલની જાન હોય છે. તેથી તેઓ હીરો સાથે જોડાયેલ વાતો જાણવા માંગે છે. પછી મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન જ કેમ ના હોય. આમિરની પર્સનલ લાઇફની દરેક હલચલ અંગે જાણવા આતુર લોકો કેટલાંક એકદમ અંગત પ્રશ્નો કરી બેઠા ત્યારે આમિર માટે જવાબ આપવો મુશ્કેલી ભર્યુ થઈ પડ્યુ, પરંતુ આમિર તો આમિર જ છે. તેમને રીયલ લાઇફમાં પણ ગુસ્સો ખૂબ ઓછો આવે છે.

Reena Dutt

સવાલ હતો કે આમિર ખાનના પ્રથમ પત્ની રીના દત્તથી અળગા પડવાનું કારણ તેમના હાલના પત્ની કિરણ રાવ હતાં? શું તેનું કારણ લગ્નેતર સંબંધ હતાં? તો આમિર ખાને જણાવ્યું કે રીના અને તેમણે 16 વર્ષ સાથે પસાર કર્યાં છે. અમારા બે બાળકો છે. અમે સમજી-વિચારીને જ જુદા પડવાનો નિર્ણય કર્યો હતો.

આમિરે જણાવ્યું - રીના સાથે જુદા પડ્યાના લગભગ 3 વરસ બાદ હું કિરણને મળ્યો. અમારી વચ્ચે મૈત્રી થઈ અને અમને લાગ્યું કે આ મૈત્રી આગળ વધારી શકાય. તેથી અમે લગ્ન કર્યાં. રીના મારા હૃદયની ખૂબ નજીક છે. અમે એક મોટો લાંબો ગાળો સાથે ગાળ્યો છે. તેઓ અગાઉની જેમ જ મારા ઘરે આવે છે. મારા માતાને મળે છે. એટલું જ નહીં, તેઓ કિરણ અને આઝાદની પણ ખૂબ નજીક છે.

આમિર ખાને આ વાતો સ્ટાર પ્લસના સ્ટાર પરિવાર કાર્યક્રમ દરમિયાન જણાવી કે જ્યાં તેઓ પોતાની ફિલ્મ તલાશના પ્રમોશન માટે આવ્યા હતાં.

કદાચ આમિરની વાતમાં વજન હશે એટલે જ તો તેમના અને કિરણના પુત્ર આઝાદના પ્રથમ જન્મ દિવસ સમારંભમાં આમિરના પ્રથમ પત્ની રીના દત્તે જોશભેર ભાગ લીધો. જો સાચે જ બંને વચ્ચે હજુય મૈત્રી છે, તો આ ખૂબ મોટી બાબત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X