આઝાદના જન્મ દિવસે કેમ આવ્યાં આમિરના પ્રથમ પત્ની?
મુંબઈ, 4 ડિસેમ્બર : બૉલીવુડના હીરો સામાન્ય રીતે લોકોના દિલની જાન હોય છે. તેથી તેઓ હીરો સાથે જોડાયેલ વાતો જાણવા માંગે છે. પછી મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન જ કેમ ના હોય. આમિરની પર્સનલ લાઇફની દરેક હલચલ અંગે જાણવા આતુર લોકો કેટલાંક એકદમ અંગત પ્રશ્નો કરી બેઠા ત્યારે આમિર માટે જવાબ આપવો મુશ્કેલી ભર્યુ થઈ પડ્યુ, પરંતુ આમિર તો આમિર જ છે. તેમને રીયલ લાઇફમાં પણ ગુસ્સો ખૂબ ઓછો આવે છે.

સવાલ હતો કે આમિર ખાનના પ્રથમ પત્ની રીના દત્તથી અળગા પડવાનું કારણ તેમના હાલના પત્ની કિરણ રાવ હતાં? શું તેનું કારણ લગ્નેતર સંબંધ હતાં? તો આમિર ખાને જણાવ્યું કે રીના અને તેમણે 16 વર્ષ સાથે પસાર કર્યાં છે. અમારા બે બાળકો છે. અમે સમજી-વિચારીને જ જુદા પડવાનો નિર્ણય કર્યો હતો.
આમિરે જણાવ્યું - રીના સાથે જુદા પડ્યાના લગભગ 3 વરસ બાદ હું કિરણને મળ્યો. અમારી વચ્ચે મૈત્રી થઈ અને અમને લાગ્યું કે આ મૈત્રી આગળ વધારી શકાય. તેથી અમે લગ્ન કર્યાં. રીના મારા હૃદયની ખૂબ નજીક છે. અમે એક મોટો લાંબો ગાળો સાથે ગાળ્યો છે. તેઓ અગાઉની જેમ જ મારા ઘરે આવે છે. મારા માતાને મળે છે. એટલું જ નહીં, તેઓ કિરણ અને આઝાદની પણ ખૂબ નજીક છે.
આમિર ખાને આ વાતો સ્ટાર પ્લસના સ્ટાર પરિવાર કાર્યક્રમ દરમિયાન જણાવી કે જ્યાં તેઓ પોતાની ફિલ્મ તલાશના પ્રમોશન માટે આવ્યા હતાં.
કદાચ આમિરની વાતમાં વજન હશે એટલે જ તો તેમના અને કિરણના પુત્ર આઝાદના પ્રથમ જન્મ દિવસ સમારંભમાં આમિરના પ્રથમ પત્ની રીના દત્તે જોશભેર ભાગ લીધો. જો સાચે જ બંને વચ્ચે હજુય મૈત્રી છે, તો આ ખૂબ મોટી બાબત છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
