મુન્નાભાઈના રોલમાં સંજય સિવાય કોઈ ન ખપે : અરશદ
મુંબઈ, 18 મે : મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ ફિલ્મોમાં સંજય દત્ત સાથે સર્કિટનો અસરકારક રોલ કરનાર બૉલીવુડ અભિનેતા અરશદ વારસી કહે છે કે તેઓ આ લોકપ્રિય સિરીઝમાં રીયલ મુન્નાભાઈ વગર કામ નહીં કરે. તેમણે જણાવ્યું કે તેઓ જ નહીં, પણ ઑડિયંસ પણ મુન્નાભાઈ સિરીઝમાં મુન્નાભાઈના રોલમાં સંજય દત્ત સિવાય કોઈનો સ્વીકાર કરશે નહીં. સંજય દત્ત હાલ જેલમાં છે.

અરશદે જણાવ્યું - હું સર્કિટનો રોલ સંજય દત્ત વગર કરી જ ન શકું અને તમે બીજી કોઈ વ્યક્તિ અંગે વિચારી પણ ન શકો. મુન્નાભાઈનો કૅરેક્ટર ચોક્કસ માળખાં અને પર્સનાલિટી સાથે સંજય દત્ત ઉપર જ બંધ બેસે છે. જૉલી એલએલબી ફિલ્મની ડીવીડી લૉન્ચિંગ પ્રસંગે 45 વર્ષીય અરશદ વારસીએ જણાવ્યું - આપણું ઑડિયંસ મુન્નાભાઈના કૅરેક્ટરમાં માત્ર સંજય દત્તને જોવા માંગે છે. તેઓ બીજા કોઈને જોઈ નહીં શકે.
મુન્નાભાઈ સિરીઝની પ્રથમ બે ફિલ્મો મુન્નાભાઈ એમબીબીએસ (2003) તથા લગે રહો મુન્નાભાઈ (2006)માં સંજય દત્ત મુન્નાભાઈ અને અરશદ વારસી સર્કિટના રોલમાં હતાં. બંને ફિલ્મોનું દિગ્દર્શન રાજકુમાર હીરાણીએ કર્યુ હતું. ફિલ્મની ત્રીજી સિક્વલ મુન્નાભાઈ ચલે દિલ્લી પાઇપલાઇનમાં હતી અને દરમિયાન સંજય દત્તે જેલ જવું પડ્યું.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
