‘ધ કપિલ શર્મા શો'માંથી ભારતીને હટાવવાની કેમ ઉઠી રહી છે માંગ? જાણો
બોલિવુડ અભિનેત્રીઓ રવીના ટંડન, ડાયરેક્ટર ફરાહ ખાન અને કૉમેડિયન ભારતી સિંહ હાલમાં લોકોના નિશાના પર છે જાણો કારણ.
બોલિવુડ અભિનેત્રીઓ રવીના ટંડન, ડાયરેક્ટર ફરાહ ખાન અને કૉમેડિયન ભારતી સિંહ હાલમાં લોકોના નિશાના પર છે. આ ત્રણે પર એક સમુદાય વિશેષની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે જેના માટે આ બધા સામે પંજાબ અને અમદાવાદમાં બે જગ્યાએ કેસ નોંધવામાં આવ્યો છે. વળી, હવે ટીવી સ્ટાર કૉમેડિયન ભારતી સિંહ માટે એક અરજી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

‘ધ કપિલ શર્મા શો'માંથી બહાર કરો ભારતી સિંહનેઃ લોકોની માંગ
આ અરજીમા સોનીના હિટ શો ‘ધ કપિલ શર્મા શો'માંથી બહાર કરવાની માંગ ઉઠી રહી છે. તમને જણાવી દઈએ કે એંડ્રુ ડેવિડ નામના આ વ્યક્તિએ આ પિટીશન શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં 7,167થી વધુ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. આ પિટીશનમાં કુલ 7,500 હસ્તાક્ષરની માંગ કરવામાં આવી હતી. વાયરલ થઈ રહેલી અરજીમાં લખેલુ છે કે જ્યારે આખી દુનિયા ડિસેમ્બરમાં ક્રિસમસ મનાવી રહી હતી ત્યારે ત્રણ બોલિવુડ અભિનેત્રીઓએ Hallelujah (પ્રભુની સ્મૃતિ કરવી કે ખુશી વ્યક્ત કરવી) શબ્દનો બેંક બેંચર નામના શો પર મજાક ઉડાવી રહ્યા હતા, હું તમને બધાને આગ્રહ કરુ છુ કે આ પિટીશનને સાઈન કરો જેનાથી ધર્મની મજાક બંધ થાય.

કપિલ શર્મા તરફથી આ વિશે કોઈ પ્રતિક્રિયા નથી આવી
હાલમાં કપિલના શો કે કપિલ શર્મા તરફથી આ વિશે કોઈ પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે આ લોકપ્રિય શોમાં ભારતી સિંહ બુઆ અને બચ્ચા સિંહની પત્નીનો રોલ પ્લે કરે છે. ઉલ્લેખનીય છે કે રવીના, ભારતી અને ફરાહ ખાન પર આરોપ છે કે તેમણે એક પ્રાઈવેટ વેબ અને યુટ્યુબ ચેનલ માટે બનાવવામાં આવેલ એક કૉમેડી પ્રોગ્રામમાં ઈસાઈ ધર્મના શબ્દનો ઉપયોગ કર્યો છે જેની સામે અમૃતસરના અજનાલામાં ઈસાઈ ધર્મ સાથે જોડાયેલા લોકો તરફથી ક્રિમસના દિવસે પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ પંજાબ પોલિસે એફઆઈઆર નોંધી છે. મળતી માહિતી મુજબ આ ત્રણે પર આઈપીસીની કલમ 295-એ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.

રવીના-ફરાહે માંગી માફી
જો કે હોબાળો વધતો જોઈ રવીના અને ફરાહ બંનેએ માફી માંગી છે. રવીનાએ આ અંગે એક વીડિયો જારી કર્યો છે જેમાં તેણે કહ્યુ છે કે, ‘અમે ત્રણે (ફરાહ, રવીના અને ભારતી)ની કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાની ઈચ્છા નહોતી પરંતુ જો અમારાથી આવુ થઈ ગયુ હોય તો, અમે દિલથી માફી માંગીએ છીએ.' ફરાહ ખાને પણ કહ્યુ કે, ‘હું દરેક ધર્મનુ સમ્માન કરુ છુ અને કોઈનુ પણ અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો.'
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
