Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બેગૂસરાયના એક્ટરે વીડિયોમાં રડીને માંગી 300-400 રૂપિયા સુધીની મદદ, 'શરમ કરીશ તો જીવન ભારે પડશે'

સોશિયલ મીડિયા પર ટેલીવિઝનના એક જાણીતા કલાકાર રાજેશ કરીરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની આર્થિક મુશ્કેલી વિશે જણાવતા લોકોને મદદ કરવા માટે કહી રહ્યા છે.

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ જેનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. જો કે આ વખતે સરકારે ઘણી બધી ગતિવિધિઓમાં છૂટ પણ આપી દીધી છે. પરંતુ લૉકડાઉનના કારણે ઘણા બધા લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ટીવી કલાકારો પણ શામેલ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ટેલીવિઝનના એક જાણીતા કલાકાર રાજેશ કરીરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની આર્થિક મુશ્કેલી વિશે જણાવતા લોકોને મદદ કરવા માટે કહી રહ્યા છે.

300-400 રૂપિયા સુધીની મદદ માંગ

300-400 રૂપિયા સુધીની મદદ માંગ

તેમનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લોકોને 300-400 રૂપિયા સુધીની આર્થિક મદદ કરવાની અપીલ કરી રહ્યા છે. તે પોતાના ગૃહ રાજ્ય પંજાબ પાછા જવા માંગે છે જેથી ત્યાં કોઈ કામ શરૂ કરી શકે. તમને જણાવી દઈએ કે રાજેશ કરીરે ટીવી સીરિયલ બેગૂસરાયમાં અભિનેત્રી શિવાંગી જોશીના પિતાની ભૂમિકા પણ નિભાવી હતી. ફેસબુક પર શેર વીડિયોમાં તે કહી રહ્યા છે કે તેના શોઝના કારણે બની શકે કે લોકો તેમને ઓળખતા હોય.

મારે મદદની બહુ સખત જરૂર છે

મારે મદદની બહુ સખત જરૂર છે

અભિનેતાએ કહ્યુ, 'જો શરમ કરીશ તો આ જિંદગી બહુ ભારે પડવાની છે. એવુ મને લાગી રહ્યુ છે. બસ એટલી વિનંતી કરવા ઈચ્છુ છુ તમને લોકોને મને મદદની બહુ સખત જરૂર છે. અમારી સ્થિતિ બહુ નાજુક બનેલી છે. હું 15-16 વર્ષથી પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહુ છુ. આમ પણ ઘણા સમયથી કામ નહોતુ અને બે-ત્રણ મહિનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તમને લોકોને ખાલી એટલો અનુરોધ છે કે 300-400 રૂપિયા સુધીની મદદ કરો.'

'હું જીવવા ઈચ્છુ છુ'

'હું જીવવા ઈચ્છુ છુ'

તેમણે વીડિયોમાં આગળ કહ્યુ, 'શૂટિંગનુ ખબર નથી કે ક્યારે શરૂ થશે. મને કામ મળે કે ના મળે, કંઈ ખબર નથી.. જિંદગી એકદમ બ્લૉક થઈ ગઈ છે. કંઈ સમજમાં નથી આવી રહ્યુ. હું જીવવા ઈચ્છુ છુ. પ્લીઝ મારી મદદ કરો. હું પંજાબ જવા ઈચ્છુ છુ જેથી કોઈ નાનુ મોટુ કામ કરી શકુ.' તેમણે પોતાની અકાઉન્ટ ડિટેલ પણ શેર કરી છે. તમને જણાવી દઈએ કે બેગૂસરાય સીરિયલ વર્ષ 2015થી 2106 સુધી પ્રસારિત થઈ હતી. આમાં અભિનેત્રી શ્વેતા તિવારી અને વિશાલ આદિત્ય સિંહ ઉપરાંત ઘણા મોટા કલાકારો મુખ્ય ભુમિકામાં હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X