Big Boss 13: માહિરા શર્માને ઝાટકો લાગી શકે, અડધી રાતે ઘરથી બહાર થશે
Big Boss 13: માહિરા શર્માને ઝાટકો લાગી શકે, અડધી રાતે ઘરથી બહાર થશે
મુંબઈઃ બિગ બૉસ સીઝન 13માં ઘણા ઉતાર ચઢા જોવા મળ્યા. ક્યારે કોણ ઘરની બહાર તઈ જાય કંઈ કહી ના શકાય. આ અઠવાડિયે વીકેન્ડ કા વારમાં વિશાલ આદિત્ય સિંહ ઘરથી બહાર થઈ ગયા છે. આની સાથે જ હવે અહેવાલ મળી રહ્યા છે કે માહિરા શર્મા પણ ઘરને અલવિદા કહી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ માહિરા મિડનાઈટ એક્શનમાં ઘરને અલવિદા કહેશે. આ પારસ છાબડા માટે પણ એક ઝાટકાથી ઓછુ નહિ હોય.

શોમાં પારસ સાથે થઈ સારી દોસ્તી
જણાવી દઈએ કે આ શોમાં માહિરા શર્મા અને પારસ છાબડા વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ છે. માહિરા ઘરમાં પારસનો ઘણો સાથ આપે છે, તે ટાસ્કમાં પણ ક્યારેય તેનો સાથ નહોતી છોડતી. એક ટાસ્કમાં તો માહિરાને પારસના ગુલામનું ટેગ સુદ્ધા આપી દેવામાં આવ્યું હતું. પરંતુ છતાં પણ બંનેની દોસ્તી બિલકુલ ઘટી નહોતી. તે હજી પણ સારા મિત્રો છે.

કેટલીયવાર બહાર જવાી બચી માહિરા
એમ પણ કહેવામાં આવે છે કે માહિરા શર્માથી પારસની નજદીકીયાના કારણો જ શહનાજ ગિલે સિદ્ધા શુક્લા સાથે દોસ્તી કરી હતી. જો કે શોમાં એવા કેટલાય મોકા આવ્યા, જ્યારે લાગ્યું કે માહિરા બિગ બૉસના ઘરથી બહાર થઈ જશે પરંતુ તે દર વખતે કોઈને કોઈ ટ્વિટસ્ટને કારણે બચતી આવી છે. પરંતુ આ વખતે પણ આવું થાય તે જરૂરી નથી. એવું એટલા માટે કેમ કે ફિનાલે ઘણો નજીક આવી રહ્યો છે.

વિશાલના એક્શન પર સવાલ ઉઠ્યા?
જ્યારે વિશાલના એક્શન પર તેના ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે. ઓછા વોટ મળવાના કારણે વિશાલ એવિક્યૂટ થયા હતા. જેનાથી તેના ફેન્સ ઘણા નારાજ છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સે આ એવિક્શનની ઘણી નિંદા પણ કરી છે. લોકોનું કહેવું છે કે વિશાલને એવિક્ટ કરવો એક ખોટો ફેસલો છે. જણાવી દઈએ કે વિશાલ આવા એકલા વાઈલ્ડ કાર્ડ કંટેસ્ટન્ટ છે, જે લાંબા સમય સુધી શોમાં ટકી રહ્યો હતો.












Click it and Unblock the Notifications
