સિદ્ધાર્થ શુક્રલા સહિત આ બે અભિનેત્રીઓને મળી રહી છે જાનથી મારવાની ધમકી
બિગ બૉસ જીતીને લોકોના દિલોમાં જગ્યા બનાવનાર અભિનેતા સિદ્ધાર્થ શુક્લા સહિત બે અભિનેત્રીઓને જાનથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે.
બિગ બૉસ જીતીને લોકોના દિલોમાં જગ્યા બનાવનાર અભિનેતા સિદ્ધાર્થ શુક્લા સહિત બે અભિનેત્રીઓને જાનથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે. આ વિશે અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ એક ટ્વિટ કર્યુ છે. જેમાં ધમકી આપનારે માત્ર દેવોલીના જ નહિ પરંતુ સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈને પણ જાનથી મારવાની ધમકી આપી છે. દેવોલીનાએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યુ કે એક મહિલાએ ફોન પર મેસેજ કરીને તેને ધમકી આપી છે.
દેવોલીનાએ પોલિસને કાર્યવાહી કરવાની કરી અપીલ
દેવોલીના ભટ્ટાચાર્જીએ પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર ધમકીભર્યા મેસેજ શેર કર્યા છે. સાથે જ તેણે પોતાના આ ટ્વિટમાં મુંબઈ પોલિસ અને સાઈબર સેલને ટેગ કરીને મેસેજ કરી રહેલી મહિલા સામે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. જે મહિલાએ આ ધમકી આપી છે, તે બિગ બૉસ 13ના કન્ટેસ્ટન્ટ અરહાન ખાનની ફેન લાગી રહી છે.
રશ્મિ દેસાઈ અને સિધ્ધાર્થ શુક્લાનુ પણ નામ
મહિલાએ દેવોલીનાને મોકલેલા મેસેજમાં લખ્યુ છે, ‘તમે વારંવાર અરહાનને નીચુ દેખાડી રહ્યા છો અને તમે જેના માટે આ બધુ કરી રહ્યા છો, એક વાત યાદ રાખજો કે તમારી અને એની લાશ પણ કોઈને નહિ મળે. હું રશ્મિ અને સિદ્ધાર્થ શુક્લાની વાત કરી રહી છુ. આજ પછી મોઢુ બંધ રાખજો. હવે પછી જો અરહાન વિરુદ્ધ કંઈ પણ વાત કરી તો એ તમારો છેલ્લો દિવસ હશે.'
|
મુંબઈ પોલિસે કાર્યવાહીનુ આપ્યુ આશ્વાસન
દેવોલીનાએ આ મેસેજના સ્ક્રીનશૉટ સાથે ટ્વિટ કરીને લખ્યુ, મુંબઈ પોલિસ અને મહારાષ્ટ્ર સાઈબર સેલ કૃપા કરીને આ મેસેજને જુઓ, જેમાં મનને મારવાની ધમકી આપવામાં આવી રહી છે. તમને વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આના પર એક્શન લો. બાદમાં મુંબઈ પોલિસે પણ દેવોલીનાને કાર્યવાહી કરવાનુ આશ્વાસન આપ્યુ છે.
|
ત્રણે બિગ બૉસમાં જોવા મળ્યા હતા
સોશિયલ મીડિયા પર દેવોલીના ભટ્ટાચાર્જીનુ આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. તમામ સોશિયલ મીડિયા યુઝર્સ અને તેમના ફેન્સ પણ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેવોલીના ભટ્ટાચાર્જી, રશ્મિ દેસાઈ અને તેના બૉયફ્રેન્ડ અરહાન ખાન અને સિદ્ધાર્થ શુક્લા ટીવીના રિયાલિટી શો બિગ બૉસની સિઝન 13નો હિસ્સો હતો. શોમાં દેવોલીના અરહાનની વિરુદ્ધમાં હતી. સાથે તેણે રશ્મિને પણ અરહાનથી દૂર રહેવા માટે કહ્યુ હતુ.
આ પણ વાંચોઃ 8 વર્ષના લગ્ન, 1 દીકરો, શું ખરેખર પતિથી અલગ થઈ રહી છે સુનિધિ, જાણો સત્ય