આનંદો : તારક મહેતા...માં પાછો આવી રહ્યો છે જૂનો સોઢી
મુંબઈ, 31 માર્ચ : સબ ટીવી પર પ્રસારિત થતા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો લોકપ્રિય રોલ કરનાર અભિનેતા ગુરુચરણ સિંહ ફરીથી આ શોમાં કમબૅક કરી રહ્યાં છે. તેઓ થોડાક દિવસ માટે આ શોમાંથી બહાર થઈ ગયા હતાં અને તેમના સ્થાને અભિનેતા લાડ સિંહ માન રોશન સિંહ સોઢીનો રોલ ભજવી રહ્યા હતાં, પરંતુ દર્શકોનું મનોરંજન કરવા માટે ગુરુચરણ સિંહ ફરીથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એન્ટ્રી કરી રહ્યાં છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ગુરુચરણ સિંહના કમબૅક માટે કાયદેસરનું આખુ એપિસોડ તૈયાર કરાયું છે કે જેમાં છેલ્લા બે અઠવાડિયાથી સોઢીનું પાત્ર જ ગાયબ કરી દેવાયું છે અને હવે ખુલાસો થયો છે કે સોઢીનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ અપહૃત સોઢી જ લાડ સિંહના સ્થાને ગુરુચરણ સિંહ તરીકે દર્શકોની સામે આવશે.
નોંધનીય છે કે જ્યારે શોમાંથી ગુરુચરણ સિંહની બાદબાકી કરવામાં આવી હતી, ત્યારે દર્શકો નિરાશા થયા હતાં. ઉપરાંત નવા રોશન સિંહ સોઢી તરીકે જોડાયેલા લાડ સિંહ માન પણ લોકોનો વિશ્વાસ જીતવામાં બહુ વધારે સફળ થયા નહોતાં અને એટલે જ અત્યાર સુધી એકેય એપિસોડ સોઢી પર આધારિત દર્શાવવામાં આવ્યો નહોતો.
ચાલો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

લાડ સિંહ માનની બાદબાકી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગુરુચરણ સિંહના સ્થાને રોશન સિંહ સોઢીના પાત્ર તરીકે જોડાયેલા લાડ સિંહ માનને હવે હટાવી દેવાયાં છે અને તેમના સ્થાને ગુરુચરણ સિંહને પાછા લાવવામાં આવી રહ્યાં છે. જોકે રોશન સિંહ સોઢીના પત્ની તરીકે નવા જોડાયેલા પાત્રને બદલવામાં નથી આવ્યાં.

બહુ યાદ કરતો
ગુરુચરણ સિંહે પોતાના કમબૅક અંગે કહ્યું - હું હમેશા તારક મહેતા..ને યાદ કરતો હતો. કેટલાક અંગત કારણોએ મારે આ સીરિયલથી દૂર થવુ પડ્યું હતું, પરંતુ હું આ દૂરી સહન કરી શક્યો અને ફરી પાછો આવી રહ્યો છું.

અસિત મોદીનો આભાર
ગુરુચરણ સિંહે કહ્યું - હું શોના નિર્માતા અસિત મોદીનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે તેમણે ફરી એક વાર મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો અને મને તક આપી કે હું તારક મહેતા... સાથે જોડાઈને કામ કરું.

ફરી કરશું બલ્લે-બલ્લે
ગુરુચરણ સિંહે જણાવ્યું - હવે હું પાછો ફરી રહ્યું છું. ફરીથી આપણે સૌ મળી બલ્લે-બલ્લે કરીશું. આ સીરિયલ સાથે હું હંમેશા જોડાયેલો રહીશ, કારણ કે આ મારો પરિવાર છે.

ખાસ એપિસોડ
ગુરુચરણ સિંહના કમબૅક માટે તારક મેહતા.. શોમાં ખાસ એપિસોડ ચાલી રહ્યું છે કે જેમાં રોશન સિંહ સોઢીનું અપહરણ થયું છે અને તેનો છુટકારો થશે, ત્યારે રોશન સિંહ સોઢીના પાત્ર તરીકે લાડ સિંહ માનનું સ્થાન ગુરુચરણ સિંહ લઈ લેશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
