સોહેલ બાદ અરબાઝ ખાન બનશે કૉમેડી સર્કસમાં જજ
મુંબઈ, 19 એપ્રિલ : ફિલ્મોમાં જુદા-જુદા પ્રકારના રોલ કરી ચુકેલા અભિનેતા અરબાઝ ખાન હવે કૉમેડી સર્કસમાં જજની સીટ ઉપર નજરે પડશે. અરબાઝનું કહેવું છે કે સોની ચૅનલે મારો સમ્પર્ક કર્યો અને હું પણ છેલ્લા કેટલાક વખતથી નાના પડદે કંઇક કરવાનો વિચારતો હતો. મારી પાસે ઘણી ઑફરો આવી, પરંતુ હું કંઇક એવું ઇચ્છતો હતો કે જે મને સારૂં લાગે.

નોંધનીય છે કે વ્યસ્ત હોવાના કારણે સોહેલ ખાન કૉમેડી સર્કસથી જુદા થઈ રહ્યાં છે. અરબાઝ ખાને જણાવ્યું કે અર્ચના પૂરણ સિંહ ખૂબ સારા જજ છે. શોમાં જજ અંગે કરાતી કૉમેન્ટ્સ અંગે અરબાઝનું કહેવું છે કે આ જોક્સની મજા લેવી જોઇએ. અનેક વાર આ જોક્સ ખૂબ જ સીરિયસ હોય છે, પરંતુ આપણે ધ્યાન રાખવું જોઇએ કે તેમનો ઉદ્દેશ કોઈની લાગણી દુભવવાનો નથી હોતો.
સોહેલ ખાન અંગે પૂછતાં અરબાઝ ખાને જણાવ્યું - તેણે બે વરસ સુધી શોમાં પોતાની સેવાઓ આપી છે. આ એક લાંબો સમય હતો. સોહેલ ખાન હાલ મેંટલ ફિલ્મના નિર્માણમાં પણ વ્યસ્ત છે કે જેમાં સલમાન ખાન અને ડેઝી શાહ મુખ્ય ભૂમિકામાં છે.
અરબાઝ ખાને ફિલ્મોમાં સીરિયસ તથા કૉમિક તમામ પ્રકારના રોલ્સ કર્યાં છે.












Click it and Unblock the Notifications
