અમને નિર્ણાયક કહેવો થોડોક અઘરૂં લાગે છે : કરણ જૌહર
મુંબઈ, 8 જાન્યુઆરી : ફિલ્મ નિર્માતા કરણ જૌહરનું માનવું છે કે કોઇક પ્રતિભા શોધ કાર્યક્રમના જજ હોવાના નાતે તેઓ કોઈ સ્પર્ધકની પ્રતિભા ઉપર પોતાનો નિર્ણય ન સંભળાવી શકે કે જ્યારે તેઓ પોતે તે કામ ન કરી શકતાં હોય. કરણે જણાવ્યું - હું માત્ર પોતાના રચનાત્મક વિચારો જ સ્પર્ધકો સાથે શૅર કરી શકું અને તેમના પરફૉર્મન્સના પ્રભાવને જોતાં નિર્ણય આપી શકું.
કરણ જૌહરે આઈએએનએસ સાથે વાતચીત કરતાં જણાવ્યું - હું કોઈ પણ નિર્ણય નથી સંભળાવતો, બલ્કે પોતાના વિચારો જ શૅર કરુ છું. મને લાગે છે નિર્ણય અને નિર્ણાયક જેવા શબ્દો બહુ કઠોર શબ્દો છે કે જેનો અમારે સામનો કરવો પડે છે. હું કોણ થાઉ છું કે કોઈ ડાન્સર કે સિંગર વિશે નિર્ણય આપી શકું કે જ્યારે હું પોતે ગાઈ કે નાચી ન શકતો હોઉં.
કરણ જૌહર ટેલીવિઝન રિયલિટી શો ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટમાં કિરણ ખેર તથા મલાઇકા અરોરા ખાન સાથે નિર્ણાયક મંડળના સભ્ય છે. આ કાર્યક્રમ 11મી જાન્યુઆરીથી કલર્સ પર શરૂ થવાનું છે. ગઈકાલે જ આ શો લૉન્ચ કરવામાં આવ્યો.
ચાલો જોઇએ આઈજીટીના લૉન્ચિંગ પ્રસંગની તસવીરો અને જાણીએ શું કહે છે કરણ જૌહર વધુમાં :

કરણ-કિરણ-મલાઇકા નિર્ણાયક
કરણ જૌહર ટેલીવિઝન રિયલિટી શો ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટમાં કિરણ ખેર તથા મલાઇકા અરોરા ખાન સાથે નિર્ણાયક મંડળના સભ્ય છે.

સ્ક્રિપ્ટ વગરનું કાર્યક્રમ
કરણે જણાવ્યું - આઈજીટી જેવા કાર્યક્રમોમાં અગાઉથી સ્ક્રિપ્ટ નથી લખવામાં આવતી. અહીં જુદી-જુદી સંસ્કૃતિઓ, પૃષ્ઠભૂમિઓ તેમજ ઉંમરના લોકો પોતાની પ્રતિભા દર્શાવવા આવે છે.

11મીથી શરુઆત
આ કાર્યક્રમ 11મી જાન્યુઆરીથી કલર્સ પર શરૂ થવાનું છે.

વાસ્તવિક કાર્યક્રમ
કરણે જણાવ્યું - આ બધુ વાસ્તવિક હોય છે. મને ક્યારેય આ કાર્યક્રમમાં એક પંક્તિ પણ લખીને આપવામાં નથી આવી. હું ત્યાં બેઠો હોઉ છું અને જે મારા દિલ કે મગજમાં હોય, તે બોલી નાંખુ છું.

સ્પર્ધકો સાથે લાગણી
તેમણે જણાવ્યું - લાગણીઓ સ્પર્ધકો સાથે જોડાયેલી હોય છે. લાગણીઓ પ્રકટ કરવા માટે અગાઉથી લખવાની કે યાદ કરવાની જરૂર નથી હોતી.

લૉન્ચ થયો ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટ
લૉન્ચ થયો ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટ

લૉન્ચ થયો ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટ
લૉન્ચ થયો ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટ












Click it and Unblock the Notifications
