અક્ષય અને ટ્વિકંલ કમબેક કરવા માટે કપિલ શર્માની મદદ કરશે
કોમેડી કિંગ કપિલ શર્માના કમબેક માટે તેમના ઘણા ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
કોમેડી કિંગ કપિલ શર્માના કમબેક માટે તેમના ઘણા ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર કપિલ શર્મા ખુબ જ જલ્દી દિવાળી પર નવો કોમેડી શૉ લઈને આવી શકે છે. કપિલ શર્મા હાલમાં બેંગ્લોરમાં આવેલા આયુર્વેદિક આશ્રમમાં ડિટોક્સીફિકેશન કાર્યક્રમનો ભાગ બન્યા છે.
આ પણ વાંચો: 2018 ની દિવાળીમાં થશે આ સુપરસ્ટારનું કમબેક, તૂટી જશે બધા રેકોર્ડ!

ટ્વિકંલ ખન્નાની બુક ઘ્વારા કપિલને પ્રેરણા મળી
આપને જણાવી દઈએ કે એવી ખબર આવી છે કે કપિલ શર્મા છેલ્લા બે મહિનાથી અહીં ઉપચાર કરાવી રહ્યા છે. જેની પાછળ અક્ષય કુમારની પત્ની ટ્વિકંલ ખન્નાનો હાથ જણાવવામાં આવી રહ્યો છે. ખરેખર ટ્વિકંલ ખન્નાની બુક "પાયજામા આર ફરગિવિંગ" ઘ્વારા કપિલ શર્માને પ્રેરણા મળી. ત્યારપછી કપિલ શર્માએ આ આશ્રમ પોતાના ઉપચાર માટે પસંદ કર્યું.
|
કપિલે શપથ લીધા કે તેઓ દારૂને હાથ પણ નહીં લગાવે
ખરેખર થોડા સમય પહેલા કપિલ અહીં આવ્યા હતા પરંતુ વચ્ચે જ તેમને ઉપચાર છોડી દીધો અને મુંબઈ પહોંચીને પીવાનું ચાલુ કરી દીધું. આ વખતે કપિલ શર્માએ પ્રતિજ્ઞા કરી છે કે તેઓ પોતાની સંકલ્પ નહીં તોડે અને ઉપચાર કરાવીને જ આવશે. ખબર છે કે કપિલ શર્માએ છેલ્લા બે મહિનાથી દારૂને હાથ પણ નથી લગાવ્યો. તેમનું 15 કિલો વજન વધી ગયું છે, જેને તેઓ ઓછું કરવાની કોશિશમાં લાગ્યા છે.

કપિલ શર્માનું વજન વધી ગયું છે
આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ કપિલ શર્માની બીચ કિનારે જોગિંગ કરતા અને જીમમાં પરસેવો પાડતી ફોટો સામે આવી હતી. કપિલ શર્મા આ આશ્રમમાંથી 28 ઓક્ટોબરે મુંબઈ પાછા આવી રહ્યા છે. ત્યારપછી તેઓ પોતાના નવા શૉની તૈયારીમાં જોડાઈ જશે.
|
અક્ષય કુમારની ફિટનેસ ટિપ્સ ફોલો કરી રહ્યા છે કપિલ શર્મા
શુક્રવારે કપિલ શર્માએ પોતાના ટ્વિટર પેજ પર ફેન્સ સાથે વાતચીત કરી. ત્યારપછી તેમને બધાને શુભરાત્રી કહીને લખ્યું કે આજકાલ તેઓ જલ્દી સુવાની આદત પાડી રહ્યા છે કારણકે હાલમાં તેઓ અક્ષય કુમારને ફોલો કરી રહ્યા છે. અક્ષય કુમારને પણ જલ્દી સુવાની અને વહેલા ઉઠવાની આદત છે.












Click it and Unblock the Notifications
