સોનાક્ષી સિન્હાને ખબર નથી હનુમાન કોના માટે લાવ્યા હતા સંજીવની - થઈ ટ્રોલ
અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલમાં એટલી ટ્રોલ થઈ રહી છે કે તે ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યુ છે.
અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલમાં એટલી ટ્રોલ થઈ રહી છે કે તે ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સોનાક્ષી સિન્હા કૌન બનેગા કરોડપતિ શોમાં એક કર્મવીર કન્ટેસ્ટન્ટનો સાથ આપવા માટે પહોંચી હતી. આ ખેલ દરમિયાન અમિતાભ બચ્ચને સવાલ પૂછ્યો કે રામાયણ અનુસાર હનુમાન કોના માટે સંજીવની બુટી લઈને આવ્યા હતા. આના પર સોનાક્ષી સિન્હાના મોઢામાંથી નીકળ્યુ કે મને સીતા લાગી રહ્યુ છે અને પછી તેણે લાઈફલાઈન લઈ લીધી.
ટ્રોલ થવા લાગી
પછી શું હતુ અભિનેત્રી ઘણી ખરાબ રીતે ટ્રોલ થવા લાગી કારણકે આટલો બેઝિક જવાબ તો બધાને ખબર જ હોય છે. ટ્રોલ થવાનુ બીજુ એક કારણ છે કારણકે તેના ઘરનુ નામ રામાયણ છે અને તેના પરિવારમાં પપ્પાથી લઈને કાકાઓના નામ રામાયણના આધારે રાખવામાં આવ્યા છે. તમે જુઓ કઈ રીતે સોનાક્ષીને ટ્રોલ કરવામાં આવી રહી છે.
શરમ આવવી જોઈએ
એક યુઝરે લખ્યુ કે... તેના પિતા વાજપેયીજીની સરકારમાં એમપી રહ્યા છે અને તેમને એ ખબર નથી કે આનો સાચો જવાબ શું છે. શરમ આવવી જોઈએ.
આ પણ વાંચોઃ ‘પલ પલ દિલ કે પાસ' ફિલ્મ રિવ્યુ
રામાયણ ટ્રેન્ડ
યુઝરે લખ્યુ છે કે પહેલી વાર આ પાગલ સોનાક્ષીના કારણે આપણી રામાયણ ટ્રેન્ડ કરી રહી છે.
બનાવ્યુ મીમ્સ
એક યુઝરે એક ફની મીમ્સ બનાવીને સોનાક્ષી સિન્હાને ટ્રોલ કરી.
એક યુઝરે લખ્યુ
સોનાક્ષીજીના બાબુજીનુ નામ શત્રુઘ્ન સિન્હા,
ચાચાનું નામ - લક્ષ્મણ સિન્હા, રામ સિન્હા અને ભરત સિન્હા,
ભાઈનુ નામ - લવ કુશ
પરંતુ આમને ખબર નથી કે હનુમાનજી સંજીવની બુટી કોના માટે લાવ્યા હતા અને જે બિલ્ડિંગમાં તે રહે છે તેનુ નામ પણ રામાયણ છે. શું કહેવુ?
આ યુઝરે પોસ્ટ કર્યો વીડિયો
સોનાક્ષી સિન્હાએ ખબર નથી હનુમાનજી સંજીવની બુટી કોના માટે લઈને આવ્યા હતા.
ઘણી અભિનેત્રીઓને લપેટામાં લઈ આ યુઝરે લખ્યુ...
Alia bhatt - president of india is prithviraj chauhan
Ananya pandey - The godfather is overrated
Sonakshi sinha hold my brain... - hanuman ji bring sanjivani for sita.(KBC) Her father name is shatrughan house name is Ramayana Brother name is lav kush Hey RAM.