Confirm: નવજોતસિંહ સિદ્ધુ છોડશે કપિલ શર્માનો કોમેડી શૉ
આખરે એ જ થયું જે ઘણા દિવસથી ચર્ચામાં હતું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ હવે કપિલ શર્માનો કોમેડી શો છોડવા જઈ રહ્યા છે. આ શોમાં તેઓ સ્પેશિયલ જજની ભૂમિકામાં હતા. સિદ્ધુની પત્ની નવજોતકૌરના મુજબ, હવે તેમના પતિ પંજાબના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આમ જોવા જઈએ તો નવજોતસિંહ સિદ્ધુ ના કપિલ શર્માનો કોમેડી શૉ છોડી દેવાની ખબર પહેલા પણ આવી હતી. પરંતુ ત્યારપછી નવજોતસિંહ સિદ્ધુએ જાતે જ તે બધી જ ખબરોને નકારી નાખી હતી.

હાલમાં જ નવજોતસિંહ સિદ્ધુએ ભૂતપૂર્વ હોકી કપ્તાન પરગટ સિંહ સાથે મળીને આવાઝ એ પંજાબ ફોરમ પણ બનાવ્યું છે. આ ફોરમ ઇલેકશનમાં ઉતરશે. નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોતકૌર ના જણાવ્યા મુજબ સિદ્ધુ કપિલ શર્માનો કોમેડી શૉ છોડી રહ્યા છે.

રિપોર્ટ મુજબ નવજોતકૌરએ જણાવ્યું છે કે હાલમાં તેમના પતિ પંજાબના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સિદ્ધુ 30 સપ્ટેમ્બર સુધીના શોનું રેકોર્ડિંગ કરી ચૂક્યા છે. ત્યારપછી તેઓ શૉને અલવિદા કહી દેશે. પરંતુ ખુબ નવજોતસિંહ સિદ્ધુએ આ વિશે કઈ જ કહ્યું નથી.

રિપોર્ટ મુજબ નવજોતસિંહ સિદ્ધુ 1 ઓક્ટોબરે અમૃતસર જશે. કપિલ શર્માનો કોમેડી શૉમાં કામ કરવાવાળા એક એક્ટરે પણ જણાવ્યું છે કે નવજોતસિંહ સિદ્ધુ શૉ છોડી રહ્યા છે.




-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
