Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુનિલ ગ્રોવરનો શૉ બંધ, કપિલના શૉ અંગે ખુલાસો, 90 ટકા ફેક

કપિલ શર્મા શૉ શરુ થતા પહેલા જ સુનિલ ગ્રોવરપોતાનો નવો શૉ કાનપુર વાલે ખુરાનાઝ લઈને આવી ગયા હતા.

કપિલ શર્મા શૉ શરુ થતા પહેલા જ સુનિલ ગ્રોવરપોતાનો નવો શૉ કાનપુર વાલે ખુરાનાઝ લઈને આવી ગયા હતા. હાલમાં કપિલ શર્મા શૉની ટીઆરપી જોરદાર ઉછળી રહી છે. જયારે સુનિલ ગ્રોવરનો શૉ મીડિયામાં સતત ટ્રોલ થઇ રહ્યો છે.

કપિલ શર્મા શૉ તેના સુપરહિટ થવાના ટેગ સાથે ટીઆરપી પર તુફાન મચાવવાની તૈયારી કરી રહ્યો છે. જયારે સુનિલ ગ્રોવરનો શૉ કાનપુર વાલે ખુરાનાઝ ખુબ જ જલ્દી બંધ થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો: જ્યારે સુનિલ ગ્રોવર માટે સલમાન ખાન બન્યો ફોટોગ્રાફર

આ અંગેની જાણકારી સુનિલ ગ્રોવરે જાતે આપી છે. એક વેબસાઈટ સાથે ખાસ વાતચીતમાં સુનિલ ગ્રોવરે કાનપુર વાલે ખુરાનાઝ શૉ બંધ થવા અને કપિલ શર્મા શૉ સાથે તેમની તુલના અંગે વાતચીત કરી. તેની સાથે તેમને સોશ્યિલ મીડિયા ટ્રોલ અંગે પણ ખુલાસા કર્યા.

ભારતને કારણે કાનપુર વાલે ખુરાનાઝ શૉ બંધ

ભારતને કારણે કાનપુર વાલે ખુરાનાઝ શૉ બંધ

સુનિલ ગ્રોવરનો કાનપુર વાલે ખુરાનાઝ શૉ ફક્ત 16 એપિસોડ માટે બનાવવામાં આવ્યો હતો. સુનિલે આ બાબતે જાણકારી આપતા કહ્યું કે આ બધું મારા કારણે થઇ રહ્યું છે. મેં આ શૉ ફક્ત 8 અઠવાડિયા માટે સાઈન કર્યો હતો. તેનું કારણ ભારત ફિલ્મનું શૂટિંગ છે.

શૉ માટે સમય નથી

શૉ માટે સમય નથી

સુનિલ ગ્રોવરે જણાવ્યું કે તેઓ પહેલા પણ આ બાબતે જાણકારી આપી ચુક્યા છે કે આ શૉ ફક્ત થોડા એપિસોડ માટે જ બનાવવામાં આવ્યો હતો. ભારત ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા માટે મારી પાસે શૉ માટે વધારે સમય નથી.

90 ટકા ફેક આઈડી

90 ટકા ફેક આઈડી

સુનિલ ગ્રોવર શૉ કાનપુર વાલે ખુરાનાઝ માટે સોશ્યિલ મીડિયા પર નેગેટિવ કમેન્ટ મળતા રહે છે. તેના પર સુનિલ ગ્રોવરે જણાવ્યું કે જેટલા પણ લોકોએ મને ટ્રોલ કર્યો છે તેમને 90 ટકા ફેક આઈડી ઘ્વારા ટ્રોલ કર્યો છે. લગભગ 70-80 ટકા આઈડી પ્રોફાઈલ પિક્ચર અને નામ વિનાની છે.

ફેક લોકો મારા માટે કોઈ મહત્વ નથી રાખતા

ફેક લોકો મારા માટે કોઈ મહત્વ નથી રાખતા

તેમને આગળ જણાવ્યું કે ફેક લોકોથી મને શુ સમસ્યા હશે. ફેક લોકોની દુનિયા મારા માટે કોઈ મહત્વ નથી રાખતી. જો કેટલાક લોકોને શૉ પસંદ નથી આવ્યો પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમને શૉ પસંદ આવ્યો છે.

ટીવી પર વાપસી

ટીવી પર વાપસી

ટીવી પર ફરી આવવાના સવાલ પર સુનિલ ગ્રોવરે કહ્યું કે આજે તેઓ જે પણ છે તે ટીવીને કારણે છે. મને જયારે પણ ટીવી પર આવવાનો મોકો મળશે ત્યારે હું ટીવી પર ચોક્કસ આવીશ.

કપિલ શર્મા શૉ પર કમબેક, સલમાન કારણ

કપિલ શર્મા શૉ પર કમબેક, સલમાન કારણ

ખબર એવી પણ આવી રહી છે કે સલમાન ખાનના કહેવા પર સુનિલ ગ્રોવર ખુબ જ જલ્દી કપિલ શર્મા શૉ પર કમબેક કરી શકે છે. હવે તેઓ કપિલ શર્મા શૉ પર ક્યારે અને કેવી રીતે આવશે તેની રાહ જોવાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X