TMKOC: આ હતી 'રોશન સિંહ સોઢી'ની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, પપ્પાના બર્થડે પર દિલ્લી આવ્યા અને થઈ ગયા ગાયબ
TMKOC Sodhi Aka Gurucharan Singh: પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'રોશન સિંહ સોઢી'નું પાત્ર ભજવનાર પ્રખ્યાત અભિનેતા ગુરચરણ સિંહ છેલ્લા 4 દિવસથી ગાયબ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા થોડા દિવસો પહેલા તેના પિતાનો જન્મદિવસ ઉજવવા દિલ્હી ગયો હતો.
તે 22 એપ્રિલ 2024ના રોજ દિલ્હીથી મુંબઈ પરત આવવાનો હતો. જોકે, તે મુંબઈ પહોંચ્યો ન હતો અને એરપોર્ટ પરથી જ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. ગુરુચરણ સિંહના અચાનક ગુમ થવાના કારણે તેમના પરિવારજનો તેમજ ચાહકો ચિંતાતુર બની ગયા છે. અભિનેતાના પિતાએ તેમના પુત્રના ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેનો 50 વર્ષનો દીકરો ફ્લાઇટ પકડવા માટે સવારે 8:30 વાગ્યે તેના દિલ્હીના ઘરેથી નીકળ્યો હતો, પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો. E દરમિયાન ગુરુચરણ સિંહની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેની છેલ્લી ઇન્સ્ટા પોસ્ટ તેના પિતાના જન્મદિવસ માટે હતી.
સોઢીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેના પિતા સાથે ઘણા ફોટા ઉમેર્યા હતા. આમાં તે તેની સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. આ શેર કરતી વખતે, ગુરુચરણે કેપ્શનમાં લખ્યું હતું - ડિવાઈન બર્થડે ટુ ફાધર. આ પોસ્ટ ચાર દિવસ પહેલા જ કરવામાં આવી હતી.
ગુરુચરણના મિત્ર, સોનીએ પિંકવિલા સાથે વાત કરતાં ખુલાસો કર્યો કે તેનો ફોન 24 એપ્રિલ, 2024થી બંધ છે. તેણે એમ પણ કહ્યું છે કે મુંબઈ પોલીસમાં રિપોર્ટ પણ નોંધાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુરુચરણ સિંહની તબિયત ઘણા સમયથી ઠીક નથી.
ગુરચરન સિંહે પ્રખ્યાત ટીવી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'રોશન સિંઘ સોઢી'નું પાત્ર ભજવ્યું હતું, જે પાર્ટી કરવાનુ પસંદ કરતો હતો અને તેની પત્ની પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવામાં ક્યારેય ડરતો નહોતો. અભિનેતાએ વર્ષ 2013માં એકવાર શો છોડી દીધો હતો પરંતુ દર્શકોની માંગને કારણે તે એક વર્ષ પછી શોમાં પાછો ફર્યો હતો.
ગુરુચરણ સિંહે વર્ષ 2020માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને હંમેશ માટે છોડી દીધો હતો. વર્ષ 2021માં, અભિનેતાએ ETimes સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' કેમ છોડી દીધો હતો. તેણે કહ્યું હતું કે તે જ સમયે તેના પિતાની સર્જરી થઈ હતી અને તેણે પણ પોતાના જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હતું. તે પોતાના પરિવાર માટે સમય ફાળવવા માંગતો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
