અમદાવાદ: બોપલમાં આવેલ ઈસ્કોન પ્લેટિનિયમમાં આગેલી આગમાં મહિલાનું મોત, 22થી વધુ લોકો ઘાયલ
Ahmedabad: રાજ્યમાં વધુ એક વખત આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક બહુમાળી રહેણાંકના મકાનમાં આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, આગને કારણે એક 65 વર્ષીય મહિલાનું મોત થયુ છે, જ્યારે આગને કારણે 22 લોકો ઘાયલ થયા હતા.
આ બહુમાળી રહેણાંકના મકાનમાં આગ ક્યા કારણોસર લાગી તેનું કારણ અકબંધ છે, જો કે, ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલમાં આવેલ 21 માળની ઈસ્કોન પ્લેટિનિયમ નામની બિલ્ડિંગમાં શુક્રવારે રાત્રે લગભગ 10.40 કલાકની આસપાસ એકાએક આગ ફાટી નીકળી હતી. આ એટલી વિકરાળ હતી કે,જોતજોતામાં આગ છેક 21 માળ સુધી ફેલાઈ ગઈ હતી.

સમગ્ર મામલની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બિલ્ડિંગમાં રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફાયરની ટીમે બિલ્ડિંગમાં રહેતા 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતુ અને બિલ્ડિંગમાંથી બહાર કાઢીને સલામાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલો હાલ સારવાર હેઠળ
સમગ્ર મામલે ફાયર અધિકારી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જાણવા મળ્યુ છે કે, સમગ્ર ઘટનામાં 65 વર્ષીય મિલાબેન શાહનું મૃત્યુ થયુ છે, જ્યારે આગમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
વહેલી સવારે આગ આવી કાબુમાં
સમગ્ર આગની ઘટના અંગે અધિકારીએ જણાવ્યુ હતુ. કે, આગનો કોલ મળતા જ અમારા કર્મચારીઓ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન બ્લિડિંગમાં એક મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવી હતી. જ્યારે ફાયરના કર્મીઓએ સવારના 3.40 વાગ્યા સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. વહેલી સવારે આખરે ફાયર કર્મીઓની અથાગ મહેતન બાદ આગ કાબુમાં આવી હતી.
તપાસ બાદ કારણ આવશે સામે
વિકરાળ આગ કાબુમાં આવતા ફાયર કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ આગ લાગવાનું કારણ જણાવતા ફાયર અધિકારીએ જણાવ્યુ હતુ કે, બિલ્ડિંગના આઠમાં માળે ઈલેક્ટ્રિક ડકમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આ વિકરાળ આગ લાગી હોય તેવુ પ્રાથમિક દ્રષ્ટીએ કહી શકાય છે, સમગ્ર તપાસ બાદ જ આગ લાગવાનું સાચુ કારણ સામે આવશે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
