અમદાવાદઃ હાર્ટ અટેકે લીધા 1052 લોકોના જીવ
Ahmedabad: રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં હૃદયરોગના હુમલાથી કુલ 1,052 લોકોના મોત થયા છે, જેમાં 80 ટકા મૃતકો 11-25 વર્ષની વયના છે.
શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, હ્રદયરોગના હુમલાની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, લગભગ બે લાખ શાળાના શિક્ષકો અને કોલેજના પ્રોફેસર્સને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) કરવા માટે તાલીમ આપવામાં આવશે, જે આવી તબીબી કટોકટી દરમિયાન જીવન બચાવવા માટેનો એક મહત્વપૂર્ણ હસ્તક્ષેપ છે.

ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 1,052 જેટલા લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે. તેમાંથી લગભગ 80 ટકા લોકો 11 થી 25 વર્ષની વય-જૂથના હતા અને આ વિદ્યાર્થીઓ અને યુવાનો મેદસ્વી પણ ન હતા. 108 એમ્બ્યુલન્સ સેવા દરરોજ 173 કાર્ડિયાક ઇમરજન્સી કોલ્સ મેળવે છે.












Click it and Unblock the Notifications
