Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફ્રાન્સ પ્લેન કેસમાં અમદાવદ પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન, પરત ફરેલા લોકોની કરશે પૂછપરછ

Ahmedabad: ગુજરાત પોલીસ દ્વારા એજન્ટ્સ સાથે જોડાયેલા શંકાસ્પદ ગેરકાયદેસર ઇમિગ્રેશન નેટવર્કની માહિતી મેળવવા માટે ટીમો બનાવી છે. આ સાથે ફ્રાન્સથી મુંબઇ એરપોર્ટ પર ઉતરેલા પ્રવાસીઓની પણ પૂછપરછ કરશે. એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિમાનમાં ઘણા પ્રવાસીઓ ગુજરાતના છે.

વિમાન, એરબસ A340, જેમાં 276 મુસાફરો હતા, જેમાં મોટાભાગે ભારતીય હતા, માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાન્સમાં ચાર દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. આ પ્લેન મંગળવારના રોજ વહેલી સવારે મુંબઈ પહોંચ્યું હતું.

Ahmedabad Police

તપાસ માટે 4 ટીમોની રચના - પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ) સંજય ખરાતે જણાવ્યું હતું કે, CID ક્રાઈમ એવા એજન્ટો સામે પગલાં લેવા માગે છે, જેમણે પીડિતોને યુએસ અને અન્ય દેશોમાં (ગેરકાયદેસર રીતે) પ્રવેશવામાં મદદ કરી હતી. અમે ચાર ટીમો બનાવી છે, જે પીડિતો પાસેથી આ એજન્ટો દ્વારા તેમને આપવામાં આવેલા વચનો વિશે માહિતી એકત્રિત કરશે.

સંજય ખરાતે જણાવ્યું હતું કે, ફ્રાન્સથી પરત ફરેલી ચાર્ટર્ડ ફ્લાઇટમાં મોટાભાગના મુસાફરો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જિલ્લાના હતા. જ્યારે મુસાફરો મુંબઈથી ગુજરાત પહોંચે છે, ત્યારે પોલીસ તેમની સાથે સંકલન કરીને તેમાં સામેલ એજન્ટો અને એજન્સીઓને શોધી કાઢશે અને અમેરિકા અને અન્ય દેશોમાં સ્થળાંતર માટે તેમને પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો બનાવટી હતા કે, કેમ તે પણ શોધી કાઢશે.

મુસાફરોની પૂછપરછ કરવામાં આવશે - ઓફિસરે જણાવ્યું હતું કે, તેઓ એ પણ જાણવાનો પ્રયાસ કરશે કે, આ રીતે કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા છે અને કોણ આ રીતે મુસાફરી કરવા માંગે છે. સીઆઈડીને અત્યાર સુધી આ ઘટનામાં સામેલ એજન્ટો વિશે કાચી માહિતી મળી છે, અને સંબંધિત મુસાફરોની પૂછપરછ કર્યા પછી જ વધુ માહિતી ઉપલબ્ધ થશે.

સંજય ખરાતે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઇમિગ્રેશન સાથે સંકળાયેલા વિવિધ એજન્ટો સાથે મળીને કામ કરે છે. ગ્રામ્ય અને જિલ્લા સ્તરે કામ કરતા એજન્ટો નાના ખેલાડીઓ છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા કિંગપિન દ્વારા નિયંત્રિત છે. ગુજરાત પોલીસ તપાસ કરશે અને તેઓ કેવી રીતે કાર્ય કરે છે તેનો સ્પષ્ટ ચિત્ર મેળવશે.

શંકાસ્પદ માનવ તસ્કરીની તપાસ - એસપીએ જણાવ્યું હતું કે, વિવિધ એજન્સીઓ સ્થળાંતર કરવા ઈચ્છતા વ્યક્તિઓની જરૂરિયાતોને આધારે અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમ કે તેમને બનાવટી દસ્તાવેજોની જરૂર છે કે નહીં, અને તે મુજબ દર નક્કી કરવામાં આવે છે. આ સાથે પીડિતોની પૂછપરછ કરવામાં આવશે.

ચાર્ટર્ડ ફ્લાઇટ, જે રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત હતી અને નિકારાગુઆ જતી હતી, તે ગુરુવારે પેરિસ નજીક વેટ્રીમાં દુબઈથી માર્ગ પર તકનીકી સ્ટોપઓવર માટે ઉતરી હતી, જ્યારે ફ્રેન્ચ પોલીસે દરમિયાનગીરી કરી હતી.

ફ્રાન્સના સત્તાવાળાઓએ શંકાસ્પદ માનવ તસ્કરીની તપાસ કરતા સંગઠિત ગુનામાં વિશેષતા ધરાવતા એકમ સાથે પ્રવાસની શરતો અને હેતુ અંગે ન્યાયિક તપાસ શરૂ કરી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં, ઇમિગ્રેશન અધિકારીઓએ 276 મુસાફરોમાંથી કેટલાકની પૂછપરછ કરી, કોઈ મુસાફરોની અટકાયત કરવામાં આવી ન હતી અને મંગળવારે સવારે 11.30 કલાક સુધીમાં તેમને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X