Ahmedabad: અમદાવાદ વાસીઓ માટે ખુશ ખબર, સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે સિવિક સેન્ટર
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા શહેરના તમામ નાગરિક કેન્દ્રો (નાગરિક સુવિધા કેન્દ્ર) સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
લોકો હવે સિવિક સેન્ટર્સ પર સાંજના 7 વાગ્યા સુધી પ્રોપર્ટી ટેક્સની ચુકવણી, પ્રોફેશનલ ટેક્સ સબમિશન, ડુપ્લિકેટ જન્મ/મૃત્યુ પ્રમાણપત્રો, ગુમાસ્તાધારા નોંધણી અને અન્ય સેવાઓ જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે.

આ અગાઉ નાગરિક કેન્દ્રો સાડા ચાર કલાકની આસપાસ બંધ થઈ જતા હતા, જેના કારણે લોકોને અસુવિધા થતી હતી. આ ફરિયાદ AMC સુધી પહોંચ્યા પછી, નાગરિક સંસ્થાએ ઓફિસોને પછીના કલાકો સુધી કાર્યરત રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, AMC એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે, આ કેન્દ્રો પર સાંજે 7 વાગ્યા સુધી વિસ્તૃત કામકાજના કલાકો દર્શાવતા નોટિસ બોર્ડ પ્રદર્શિત કરવામાં આવે.
અત્રે નોંધનીય બાબત છે કે, અમદાવાદ શહેરમાં કુલ 64 સિવિક સેન્ટર છે, જેમાં મધ્ય ઝોનમાં 10, પૂર્વ ઝોનમાં 10, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5, ઉત્તર ઝોનમાં 10, દક્ષિણ ઝોનમાં 9 અને પશ્ચિમ ઝોનમાં 14 છે.












Click it and Unblock the Notifications
