અમદાવાદમાં કોરોના વાયરસના નવા 3118 કેસ, 10 દર્દીના મોત
અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોના વાયરસના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોના વાયરસના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો હતો. કોરોનાના નવા 3118 કેસ નોંધાયા હતા. સતત બીજા દિવસે પણ શહેરમાં દસ કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા હતા. વળી, ગુરુવારે કોરોનાના 4397 દર્દીઓ રિકવર થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ હતુ.

તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં માર્ચ 2020થી અત્યાર સુધીમાં કોરોનાના 3,63,911 કેસ નોંધવામાં આવ્યા છે. 3,37,421 લોકો રિકવર થયા છે અને કુલ 3534 લોકોના મોત થયા છે. હાલમાં એસવીપી હોસ્પિટલમાં કોરોનાના 99 જ્યારે ખાનગી હોસ્પિટલમાં 232 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ગુરુવારે શહેરમાં નવા ચાર સ્થળો માઈક્રોકેન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં મણિનગરના એક સ્થળ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ડ્રાઈવઈન રોડના એક સ્થળ ઉપરાંત પશ્ચિમ ઝોનના નહેરુનગર અને ચાંદખેડાના એક-એક સ્થળને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા બાદ હાલમાં શહેરના કુલ 38 સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે.
રસીકરણની વાત કરીએ તો અમદાવાદ શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ગુરુવારે 3243 લોકોને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ, 19258 લોકોને રસીનો બીજો ડોઝ આપવા ઉપરાંત 3873 લોકોને પ્રિકોશન ડોઝ તેમજ 15થી 18 વર્ની વયના 1113 બાળકોને પહેલો ડોઝ અને 10204 બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
