અમદાવાદમાં 201 સ્થળો પર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
અમદાવાદમાં સુરક્ષાના કારણોસર 201 સંવેદનશીલ વિસ્તારો અને ઇમારતો પર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસે શનિવારે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રતિબંધ આજથી શરૂ થયો છે અને દિવાળી સુધી અમલમાં રહેશે.

આ કુલ 201 સ્થળોમાંથી 36 સ્થળોને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઝોનમાં 3 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
જ્યારે 165 સ્થળોને યલો ઝોન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ ઝોનમાં, સરકારી સત્તાવાળાઓની પૂર્વ મંજૂરી અને ચોક્કસ શરતો સાથે ડ્રોન ઉડાવવાની મંજૂરી મળી શકે છે.
જાહેરનામામાં સુરક્ષાને લગતી ચિંતાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં ચેતવણી આપવામાં આવી છે કે રાષ્ટ્રવિરોધી તત્વો કે આતંકવાદીઓ ડ્રોન, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ કે પેરાગ્લાઇડરનો ઉપયોગ શહેરને નિશાન બનાવવા માટે કરી શકે છે.
આ પ્રતિબંધો જાહેર જનતાની સલામતી અને સંપત્તિના રક્ષણ માટે જરૂરી છે. આ આદેશ 16 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે અને સરકારી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ડ્રોન સિવાયના તમામ UAV (અનમેન્ડ એરિયલ વ્હીકલ) પર લાગુ પડશે.
આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ડ્રોન ઉડાવવાની મંજૂરી અને ઝોનની વિગતો DGCAના ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
- સંશોધન કેન્દ્રો : ISRO, SAC અને PRL
- સુરક્ષા અને સરકારી સ્થાનો : સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ કેન્ટોનમેન્ટ, કેમ્પ હનુમાન મંદિર, ગુજરાત ACB ઓફિસ, એરફોર્સ સ્ટેશન, વસ્ત્રાલમાં CRPF કેમ્પ, સાબરમતી સેન્ટ્રલ જેલ અને ગુજરાત હાઈકોર્ટ
- સ્વાસ્થ્ય સુવિધાઓ : GMERS સોલા સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ
- પાવર અને ઓઈલ-ગેસ સુવિધાઓ : ટોરેન્ટ પાવર, UGVCL, GETCO અને GEB સંકુલ, ONGC, IOC અને HPCLના ઓઈલ અને ગેસ ઇન્સ્ટોલેશન
- અન્ય મુખ્ય સ્થળો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ઇન્કમ ટેક્સ હેડક્વાર્ટર, FCI ગોડાઉન, મણિયસા વોટર ટેન્ક અને ખોખરા તથા વાસણાના ટેલિકોમ એક્સચેન્જ.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
