Ahmedabad: ઘરના ઘરનું સપનું પૂરુ કરશે સરકાર, EWS આવાસ યોજનાની જાહેરાત
EWS housing scheme: અમદાવાદમાં ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે, પરંતુ સામાન્ય લોકો માટે આ સપનું અધૂરું રહી જાય છે. આ દરમિયાન અમદાવાદમાં રહેતા અને પોતાનું ઘર ન ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ EWS પ્રકારના આવાસ માટે અરજીઓ આમંત્રિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ, અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા લોકો માટે WWS-2 કેટેગરીમાં નરોડો મુઠિયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 મકાનો બાંધવામાં આવશે.
આ EWS-2 કેટેગરીના ઘરો માટેના ફોર્મ 15 માર્ચથી 13 મે, 2024 સુધી ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedacity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

ફોર્મ કોણ ભરી શકે? - WS-2 માં આર્થિક રીતે નબળા વર્ગો (કાર્પેટ એરિયા 35 ચોરસ મીટરથી વધુ અને 40 ચોરસ મીટરથી ઓછું) જેમની સંયુક્ત વાર્ષિક કૌટુંબિક આવક રૂપિયા 3 લાખથી ઓછી છે તેઓ ફોર્મ ભરી શકે છે. મકાનની કિંમત 5,50,000 રૂપિયા અને જાળવણીની રકમ 50,000 રૂપિયા હશે અને લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે.












Click it and Unblock the Notifications
