Ahmedabad: ગુજરાત સરકારે કર્યો હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો આદેશ
Ahmedabad: ગુજરાતના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, ચીનમાં માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે કોવિડ-19 રોગચાળા દરમિયાન બનાવવામાં આવેલા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હોસ્પિટલોની સજ્જતાનું તાત્કાલિક મૂલ્યાંકન કરવા વિનંતી કર્યાના દિવસો પછી, ગુજરાત આરોગ્ય વિભાગે મંગળવારના રોજ તમામ સિવિલ હોસ્પિટલ્સ, પેટા જિલ્લા હોસ્પિટલ્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓને સમાન એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી.

રૂષિકેશ પટેલે ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ભારતીય તબીબી સંશોધન પરિષદે ચીનની વર્તમાન પરિસ્થિતિને ગંભીરતાથી લીધી છે. આ ન્યુમોનિયા જેવો રોગ છે, અને WHO એ જાહેર કર્યું છે કે, આ રોગને કારણે અત્યાર સુધી કોઈનું મૃત્યુ થયું નથી.












Click it and Unblock the Notifications
