Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 વર્લ્ડ કપ મેચો માટે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનો સમય બદલાયો, હવે આટલા વાગ્યા સુધી ચાલશે

અમદાવાદમાં રમાનાર T20 વર્લ્ડ કપની મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલના સમયમાં ફેરફાર કરાયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ડે-નાઈટ મેચો દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે 12:30 વાગ્યા સુધી દોડશે.

9 ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધી યોજાનારી વિવિધ મેચો માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ફેબ્રુઆરીની 9, 11, 14, 18, 22, 26 અને સંભવિત ફાઈનલ મેચ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે.

મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મુસાફરો અમદાવાદના તમામ સ્ટેશનો સુધી મુસાફરી કરી શકશે. ગાંધીનગર જવા માટે મોટેરાથી મહાત્મા મંદિર સુધી રાત્રે બે વિશેષ મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે.

રાત્રે 10:00 વાગ્યા પછી મુસાફરી કરવા માટે મુસાફરોએ ફરજિયાત સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદવી પડશે. આ પેપર ટિકિટનો દર વ્યક્તિ દીઠ 50 રૂપિયા ફ્લેટ રાખવામાં આવ્યો છે જે રિટર્ન જર્ની માટે હશે.

નિયમિત ટિકિટ, સ્માર્ટ કાર્ડ કે QR કોડ માત્ર રાત્રે 10 વાગ્યા સુધી જ માન્ય ગણવામાં આવશે. 10 વાગ્યા પછી પ્રવેશ માટે માત્ર 50 રૂપિયા વાળી સ્પેશિયલ પેપર ટિકિટ જ કામ લાગશે.

મેચ પૂરી થયા પછી મોટેરા સ્ટેશન પર ભીડથી બચવા માટે આ ટિકિટ એડવાન્સમાં ખરીદી શકાશે. કાલુપુર, થલતેજ, રાણીપ અને ઇન્ફોસિટી સહિતના મુખ્ય સ્ટેશનો પરથી આ ટિકિટ મળી રહેશે.

આ વ્યવસ્થાને કારણે ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળ્યા બાદ મોડી રાત્રે સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકશે. મેટ્રો તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X