Ahmedabad: અમદાવાદના SG હાઇવે ક્રોસ કરતા રાહદારીઓ માટે 5 ફૂટ બ્રિજ બનાવવાનું આયોજન
Ahmedabad: અમદાવાદ શહેરને રાજ્યના પાટનગર ગાંધીનગર સાથે જોડતો સરખેજ-ગાંધીનગર હાઇવે શહેરના સૌથી વ્યસ્ત રસ્તાઓમાંથી એક છે, જેના કારણે રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બને છે.
આવામાં હાઈવે પાર કરતા રાહદારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દાને ઉકેલવા માટે, ઇસ્કોન ક્રોસરોડ્સ અને વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે પાંચ ફૂટ બ્રિજ બાંધવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ પ્રોજેક્ટની દેખરેખ રાખવામાં આવશે અને તેણે આ પગપાળા ક્રોસિંગ સ્થાપિત કરવાની પ્રક્રિયા પહેલાથી જ શરૂ કરી દીધી છે.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA)ની તાજેતરની મીટિંગ દરમિયાન, AMC અધિકારીઓએ અહેવાલ આપ્યો કે, તેઓએ આ ફૂટ બ્રિજ માટે માર્ગ અને મકાન વિભાગ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માટે અરજી કરી છે.












Click it and Unblock the Notifications
