અમદાવાદ પોલીસની પહેલ : સાયબર સાથી ચેટબોટ લોન્ચ કરાયુ
નાગરિકોને ન્યાય અપાવવા અને ચોરાયેલો મુદ્દામાલ પરત કરવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ અને સાયબર સાથી- ચેટબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે અમદાવાદમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓનું સન્માન પણ કરાયું હતું.

કાર્યક્રમ દરમિયાન ચોરી, લૂંટ, અને સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓના ભોગ બનેલા નાગરિકોને તેમનો મુદ્દામાલ સન્માનપૂર્વક પરત આપવામાં આવ્યો. જણાવી દઈએ કે, અમદાવાદ પોલીસે છેલ્લા એક મહિનામાં ૨૬ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપીને પ્રશંસનીય કામગીરી કરી છે.
સાયબર સાથી- ચેટબોટનું લોકાર્પણ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, આ આધુનિક ચેટબોટ નાગરિકોને સાયબર ક્રાઈમ સંબંધિત ગુનાઓ વિશે માહિતી આપશે અને ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થશે. તેમણે નાગરિકોને કોઈપણ ફરિયાદ માટે ૧૧૨ નંબર પર સંપર્ક કરવાની અપીલ કરી.
જણાવી દઈએ કે, છેલ્લા સાત મહિનામાં ૪,૬૦૦ થી વધુ કાર્યક્રમો દ્વારા ૧૨૭ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પીડિત નાગરિકોને પરત સોંપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
