અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે થઈ શકે સજાનુ એલાન

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે વિશેષ અદાલતમાં સુનાવણી હાથ ધરાશે.

અમદાવાદઃ અમદાવાદ બ્લાસ્ટ કેસમાં શુક્રવારે વિશેષ અદાલતે દોષિતોને સાંભળ્યા હતા. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે વિશેષ અદાલતમાં સુનાવણી હાથ ધરાશે. બચાવ પક્ષના વકીલો રજૂઆત કરશે. સરકાર પક્ષ દ્વારા સજા અંગે રજૂઆત થઈ શકે છે. જેમાં 49 આરોપીઓે વિશેષ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ 49 આરોપીઓની અંતિમ સજા પર સુનાવણી થશે. વિશેષ કોર્ટ કોઈ પણ સમયે સજાનુ એલાન કરી શકે છે.

abad court

તમને જણાવી દઈએ કે 11 ફેબ્રુઆરીએ સજાના એલાન પર કોર્ટ દ્વારા તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યો હતો. દોષિતોના વકીલ વિશેષ અદાલત સમક્ષ આરોપી તરફથી પોતાની રજૂઆત કોર્ટ સમક્ષ કરી. જેમાં કોર્ટ તમામ પક્ષની રજૂઆત એક પછી એક સાંભળી જેના કારણે દોષિતોની સજાના એલાન પર હજુ વધુ સમય લાગી રહ્યો છે.

અમદાવાદના ઈતિહાસનો એ કાળો દિવસ જ્યારે 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં 14 વર્ષ સુધી ચાલેલી લડત બાદ મંગળવારે ઐતિહાસિક ચુકાદામાં દેશમાં પહેલી વખત 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બૉમ્બ બ્લાસ્ટની એ ઘટનામાં 20 સ્થળોએ 21 ધમાકા થયા હતા જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી.

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં મહિનાઓ સુધી રાત-દિવસ એક કરીને પોલિસે તમામ આતંકીઓને શોધી કાઢ્યા હતા. આ કેસમાં અન્ય રાજ્યોની પણ લિંક મળી હતી અને એ તમામ આતંકીઓ સુધી પણ પોલિસ પહોંચી હતી. જેમાં ભરુચમાંથી મળેલી એક લિંકે આખો ભેદ ઉકેલ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X